મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને ૨.૦૨ લાખ જેવી માતબર રકમ મળી


SHARE















મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને ૨.૦૨ લાખ જેવી માતબર રકમ મળી

મોરબીના પાનેલી ગામના વતની જયેશભાઈ કરમશીભાઈ કટેશીયાનું પોતાનું વાહન બોલેરો જેના નંબર GJ-36 V 2825 જે પાનેલીથી સલતાનપર ગામ જતા હતા ત્યારે અન્ય વાહને ઠોકર મારતા વાહનમાં ૧,૯૭,૦૦૦ રૂપિયાનું નુકશાન થયેલ તેનો વીમો “ચોલા મંડલમ જનરલ ઇન્સ્યોરન્સ કું.લી.” માં લીધેલ હતો.કંપનીને તમામ કાગળો રજુ કરવા છતા પણ કંપનીએ વીમો આપવા ઈન્કાર કરેલ તેથી તેઓ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ કરતા અદાલતે વીમા કંપનીને વીમા ગ્રાહક શ્રી જયેશભાઈ કરમશી કટેશીયાને રૂા.૧,૯૭,૦૦૦ તથા રૂા.૫૦૦૦ અન્ય ખર્ચ પેટેના તા.૧૨-૯-૨૪ થી છ ટકાના વ્યાજ સાથે ચુકવવા હુકમ કરેલ છે.

આ કેસ ની વિગત એવી છે કે મોરબી ના પાનેલી ગામના વતની ગ્રાહક જયેશભાઈ કરમશીભાઈ કટેશીયા એ પોતાની ગાડી બોલેરો વાહન જેના નંબર GJ-36 V 2825 લઇને પાનેલીથી સલતાનપર જતા હતા ત્યારે તેની ગાડી ને અન્ય વાહને ઠોકર મારતા તેની ગાડીને નુકશાન રૂા.૧,૯૭,૦૦૦ થયેલ. ગાડીના માલિક જયેશભાઈ કટેશીયાએ ચોલા મંડલમ જનરલ ઇન્સ્યોરન્સ શું.લી. વિમો લીધેલો હતો.ગ્રાહકે તમામ કાગળો વીમા કંપનીને સમય મર્યાદામાં રજુ કરવામાં આવેલ છતા વીમા કંપનીએ વીમો આપવા ઇન્કાર કરતા તેઓ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ.ગ્રાહક અદાલતમાં કેસ ચાલતા અદાલતે જણાવેલ કે વીમા કંપનીની સેવામાં ખામી હોય વીમા કંપનીએ ગ્રાહક જયેશભાઇ કરમશીભાઈ કટેશીયાને બોલેરો ગાડીના રીપેરીંગના ખર્ચના રૂપિયા ૧,૯૭,૦૦૦ તથા અન્ય ખર્ચ પેટે રૂપિયા ૫૦૦૦ કુલ રૂા.૨,૦૨,૦૦૦ તા. ૧૨-૯-૨૪ થી છ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરવામાં આવેલ છે.ગ્રાહકને કોઈપણ અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશા લડવું જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) મંત્રી રામભાઈ મહેતા (મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News