મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી પાલીકાની સુવિધામાં વધારો, ૨૭ મીટરનું લેડર ૯ માળ જેટલી ઉંચાઈએ પહોંચી શકશે


SHARE







મોરબી પાલીકાની સુવિધામાં વધારો, ૨૭ મીટરનું લેડર ૯ માળ જેટલી ઉંચાઈએ પહોંચી શકશે

મોરબી મહાનગરપાલિકામાં ગુજરાત સરકાર દ્વારા ટર્ન ટેબલ લેડર ૨૭ મી. વાહનની ફાળવણી કરવામાં આવી છે.જેના સાથે મોરબી મહાનગર પાલિકાની ફાયર શાખાની સુવિધામાં વધારો થયો છે.આ ટર્ન ટેબલ લેડર એક પ્રકારનું ફાયર ફાઈટીંગ વાહન છે.જે ઉંચી ઈમારતોમાં આગ બુઝાવવાનું કામ કરે છે.આ વાહનમાં એક રોટેટીંગ પ્લેટફોર્મ હોય છે. જેના ઉપર લેડર લગાવવામાં આવે છે.અંદાજે ૨૭ મીટરનું આ લેડર લગભગ ૯ માળ જેટલી ઉંચાઈએ પહોંચી શકે છે.

આ વાહનની લાક્ષણિકતાઓની વાત કરીએ તો મીડીયમ કોમર્શીયલ વાહન ચેસીસ આધારિત આ વાહન ટર્ન ટેબલ લેડરને ૩૬૦ ડીગ્રી ફેરવવાની ક્ષમતા અને બે થી ત્રણ ફાયર ફાઇટર સાથે સુરક્ષાના સાધનોની લોડ ક્ષમતા ધરાવે છે.આ વાહનમાં મોનીટર અથવા પંપ સપોર્ટેડ નોઝલની મદદથી પ્લેટફોર્મ કે જેેથી પાણીનો જેટ ચલાવવામાં આવે છે.

મુખ્ય ઉદેશ્ય ઉંચી ઈમારતોમાં આગ લાગી હોઈ ત્યારે, બચાવ કામગીરી જેમ કે, ફસાયેલા લોકોને બહાર લાવવા તથા ઊંચા બિલ્ડીંગમાં બહારથી પાણી છાંટવા માટે આ પ્રકારના વાહનનો ઉપયોગ કરવામાં આવે છે. રોટેશન, એન્ગલ, લંબાઈ અને ઉચાઈ હાઈડ્રોલિક સીસ્ટમથી નિયંત્રિત કરી શકાય છે. તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ ઉપર સંપર્ક કરી શકો છો.તેમ ડેપ્યુટી કમિશનરે યાદીમાં જણાવેલ છે.






Latest News