મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટી બરાર ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત : સરતાનપર રોડે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE











માળીયા (મી)ના મોટી બરાર ગામે ઝેરી દવા પી યુવાનો આપઘાત: સરતાનપર રોડે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા યુવાને કોઈ કારણસર ઝેર દવા પી લેતા તેનું મોત.નીપજ્યું હતું જ્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન ઈલેક્ટ્રીક શોટ લાગવાથી યુવાનનું મોત નીપજ્યું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકાના જસાપર ગામે રહેતા વિપુલભાઈ વિનોદભાઈ ડાંગર (35) ગામના યુવાને કોઈ કારણોસર મોટી બરાર ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જ્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેકોલ સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં કામ કરતા રવિભાઈ ભીમજીભાઇ ઝાપડિયા (19) નામનો યુવાન કારખાનામાં ઈલેક્ટ્રીક કામ કરતો હતો તે દરમિયાન તેને ઇલેક્ટ્રીક શોટ લાગવાના કારણે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીના રફાળેશ્વર પાસે આવેલ એપેક્સ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનાનુ મોત નીપજ્યું હતું જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે






Latest News