મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર


SHARE











મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર

તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસના ઉપક્રમે "આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર યોજાઇ હતી.

દેશના  વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ “સહકારથી સમૃધ્ધિ" સંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર (UNO) દ્વારા વર્ષ-૨૦૨૫ ને “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ" તરીકે જાહેર કરવામાં આવેલ છે.જેની ઉજવણીના ભાગરૂપે તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસના રોજ ડો.બી.એન.પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. મોરબી ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ.આ યોગ શિબિરમાં ગુજરાત યોગ બોર્ડના ઈન્સ્ટ્રકટર તરીકે ગુન ભારવાણી તથા શિવાની પુરોહિત દ્વારા યોગાસન, પ્રાણાયામ, મેડિટેશન ગેઈમ દ્વારા હંગામી જીવનમાં સ્ટ્રેસ કોમ્પિટેશન અને ચિંતાથી થતી તકલીફો દુર કરવા દરરોજ શું કરવું જોઈએ ? યોગ-પ્રાણાયામથી આપણુ સ્વાસ્થ્ય સુદ્દઢ બનાવવા શું કરવું જોઈએ ? અને યોગ-પ્રાણાયામ કરીને તંદુરસ્ત જીવન કેમ જીવવું ? તે અંગે તાલીમ, યોગ-પ્રાણાયામના વિવિધ ફાયદા અને અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.આ રાષ્ટ્રવ્યાપી ચળવળનો ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય યોગ પ્રથા, સામાન્ય પ્રજાજન અને સમુદાયોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને વધારવામાં તેની ભૂમિકા પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવાનો છે.આ યોગ શિબિરમાં રાહકારી સંસ્થાઓ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ તથા અન્ય પ્રજાજનો ઉપસ્થિત રહી, યોગ-પ્રાણાયામ અંગેની તાલીમ મેળવવામાં આવી.તેમ સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારએ યાદીમાં જણાવેલ છે.






Latest News