મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના હરીપર (કે)-અમરેલી રોડે કરવામાં આવેલ બે લૂંટના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીની ધરપકડ


SHARE















મોરબીના હરીપર (કે)-અમરેલી રોડે કરવામાં આવેલ બે લૂંટના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીની ધરપકડ

મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં ચા વાળાની દુકાન પાસે યુવાનને અજાણ્યા છ શખ્સો દ્વારા ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારીને ધાક ધમકીઓ આપીને રોકડા 30,000 ની લૂંટ કરી હતી અને અમરેલી રોડ ઉપર એક યુવાનને આંતરીને તેને મારમારીને તેના પાસેથી સોનાના ચેનબાઇક અને રોકડા 20,000 ની લૂંટ કરી હતી જે બંને લૂંટના ગુણનો ભેદ તાલુકા પોલીસ ઉકેલી નાખેલ છે અને હાલમાં પાંચ આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાલ કિશોરની પૂછપરછ કરીને તેના વાળીને સોંપી દેવામાં આવેલ છે.

મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ વેલેંજા કારખાનામાં રહેતા અને ત્યાં કામ કરતા પ્રકાશભાઈ ઉર્ફે પાકો રામુભાઈ મુંદરિયા (45) એ અજાણ્યા 6 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે તે કારખાન પાસે હરિભાઈની દુકાને ચા લેવા ગયા હતા ત્યારે ત્રણ બાઈકમાં 6 શખ્સો આવ્યા હતા અને ગાળો આપીને માર માર્યો હતો તેમજ રૂપિયા ન આપે તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં રોકડા 30,000 રૂપિયાની લૂંટ કરીને આરોપી નાસી ગયા હતા આવી જ રીતે અમરેલી રોડ ઉપર વિશ્વરાજસિંહ જાડેજા નામના યુવાનને માર મારીને તેની પાસેથી 20 હજાર રૂપિયા રોકડાએક સોનાનો ચેન અને બાઈકની ચોરી કરી હતી જેથી અજાણ્યા 6 શખ્સો સામે બે લૂંટનો ગુનો નોંધાયેલ હતો.

જે ગુનાની તપાસ પીઆઇ એસ.કે. ચારેલની સૂચના મુજબ કરવામાં આવી રહી હતી તેવામાં પીએસઆઈ એસ.એચ.ભટ્ટ તથા સર્વેલન્સ ટીમના માણસો લૂંટના ગુનામાં આરોપીઓએ પકડવા માટે તજવીજ કરી રહ્યા હતા તેવામાં મહેન્દ્રસિંહ ચુડાસમા તથા ભગીરથભાઇ લોખીલને બાતમી હકીકત મળી હતી જેના આધારે લુટના ગુનામાં સંડોવાયેલા શખ્સોને પકડી લેવામાં આવેલ છે જેમાં ફારૂકભાઇ ઉર્ફે ફારકો દીલાવરભાઈ જેડા (35) રહે. હાકમસાની દરગાહાની પાસે માળીયા, દિલાવરભાઇ ઉર્ફે દીલો જુમાભાઈ મોવર (35) રહે. બાપુની ડેલી માળીયા, સિકંદરભાઇ ઇકબાલભાઈ કટીયા (19) રહે. ગેબનસાપીરની દરગાહની પાસે માળીયા, જુમાભાઇ ઉર્ફે ડાડો સોકતભાઈ મેર (19) રહે. બાપુની ડેલની બાજુમાં માળીયા અને સિંકદરભાઇ ઉર્ફે સીકો મુસ્તાકભાઈ કાજેડીયા (19) રહે. ઓસંસાપીરની દરગાહની બાજુમાં માળીયા વાળાનો સમાવેશ થાય છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરની પૂછપરછ કરીને તેના વાલીને સોંપી દેવામાં આવેલ છે. હાલમાં પોલીસે આરોપી પાસેથી ત્રણ બાઇક અને 40 હજાર રોકડા આમ કુલ મળીને 1.50 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે. 






Latest News