મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જીતુભાઈ સોમાણીના આંગણે યોજાયેલા લગ્નોત્સવમાં વિજયભાઈ રૂપાણી-બ્રિજેશભાઇ મેરજા સહિતના હાજર રહ્યા


SHARE











વાંકાનેરના જીતુભાઈ સોમાણીના આંગણે યોજાયેલા લગ્નોત્સવમાં વિજયભાઈ રૂપાણી-બ્રિજેશભાઇ મેરજા સહિતના હાજર રહ્યા

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં ભાજપ અગ્રણી પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીનાં રાજકોટ ખાતે યોજાયેલા પારિવારિક ભવ્ય લગ્નોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતાં. જ્યારે વાંકાનેરમાં યોજાયેલ રિસેપ્શનમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત રાજકીય અગ્રણીઓએ હાજર રહીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતાં.

વાંકાનેરનાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી પરિવારના ભાઈ રાજ સોમાણી તેમજ ભત્રીજા હર્ષિત  સોમાણી અને ભત્રીજી અમી સોમાણીનાં લગ્ન પ્રસંગમાં રાજ્યના મંત્રી સહિત અનેકવિધ રાજકીય અગ્રણીઓ, શહેરીજનો ઉમટયા હતાં અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતાં, વાંકાનેરનાં ટાઉનહોલ ખાતે યોજાયેલ રિસેપ્શનમાં રાજ્યના મંત્રી ઉપરાંત અધિક નિવાસી કલેકટર એન.કે. મૂછાર, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખ તથા પાટીદાર સેવા સમાજનાં અગ્રણી અને ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ, મોરબી જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, ચીફઓફિસર ગિરીશભાઈ સરૈયા(મોરબી), માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા, બાબુભાઇ ઉઘરેજા, અમિત સેજપાલ, યુશૂફભાઈ શેરશિયા, ગુલમોહમ્મદભાઈ બ્લોચ, જાકીરભાઈ બ્લોચ, વાંકાનેર દેવીપૂજક સમાજનાં અગ્રણી કાંતીભાઈ કુંઢીયા, ગોરધનભાઈ સરવૈયા,વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, રમેશભાઈ વોરા, અશ્વિનભાઈ મેઘાણી સહિત અનેકવિધ અગ્રણીઓ, તબીબો, વેપારીઓ ઉદ્યોગપતિઓ,પત્રકારો, ધાર્મિક સ્થાનોનાં સંચાલકો,આમંત્રિતો શહેરીજનો ઉમટયા હતાં અને નવદંપતીઓને શુભેચ્છા પાઠવી હતી.






Latest News