વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાએ ચોમાસાની ઋતુને ધ્યાને લઈને શરૂ કર્યો કંટ્રોલરૂમ


SHARE











મોરબી મહાનગરપાલિકાએ ચોમાસાની ઋતુને ધ્યાને લઈને શરૂ કર્યો કંટ્રોલરૂમ


મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શરૂ થઈ રહેલ વર્ષાઋતુ તેમજ હવામાન વિભાગનો આગાહીઓના પગલે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જુન માસથી તા.૩૧-૧૦ સુધી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે મોરબી મહાનગરપાલિક દ્વારા જુદા-જુદા ૧૩ આરોગ્ય કેન્દ્ર ઉપર જરૂરી તમામ પ્રાથમિક સારવારની સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવેલ છે.કચેરીમાં કાર્યક્ષેત્રમાં આવતા નીચાણ વાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવવાની શક્યતા હોય તેવા વિસ્તારો ખાલી કરીને  સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

તેમજ જાહેર જગ્યાએ ભૂગર્ભ ગટર કે વરસાદી પાણીના ઢાંકણા તૂટેલ હોય અથવા ન હોય તેવા જોખમી પાણીના નિકાલમાં કોઈ ઢોર કે માનવ નુકશાન ન થાય તે માટે જાગૃત નાગરિક તરીકે ફરિયાદ નંબર ઉપર ફરિયાદ નોંધાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.પાલિકા દ્વારા ફરિયાદ માટે (૦૨૮૨૨) ૨૨૦૫૫૧ જાહેર કરવામાં આવ્યો છે.તેમજ પ્રી મોન્સૂન કંટ્રોલ માટે (૦૨૮૨૨) ૨૨૦૫૫૨ અને ઝાડ પાડવાની ફરિયાદ માટે (૦૨૮૨૨) ૨૨૦૫૫૩ નંબર ઉપર જાણ કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News