મોરબી મહાનગરપાલિકાએ ચોમાસાની ઋતુને ધ્યાને લઈને શરૂ કર્યો કંટ્રોલરૂમ
મોરબી વિહિપ-બજરંગદળએ પાલિકાની તાનાશાહીનો વિરોધ કરેલ તેનો સુખદ અંત આવ્યો
SHARE








મોરબી વિહિપ-બજરંગદળએ પાલિકાની તાનાશાહીનો વિરોધ કરેલ તેનો સુખદ અંત આવ્યો
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મોરબી મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની અને અન્ય બાબતમાં છેવાડાના લોકોને દંડ આપવાની તાનાશાહીનું આવેદનપત્ર જે તે સમયે આપવા ગયેલ પણ પલિકાનાં કમિશનરએ મળવાની ના પાડી હતી ! જે બાદ વિહિપ અને બજરંગદળએ આ તાનાશાહીનો વિરોધ ચાલુ કર્યો હતો.આ વિરોધનો આખરે સુખદ અંત આવી ગયો છે.મોરબી જીલ્લાના મોટા વહીવટી અધિકારીના નેજા હેઠળ તેઓની ફરિયાદ સાંભળીને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વાત તેમના મારફત કરીને મહાનગરપાલિકાના અધિકારીઓએ વિહિપ અને બજરંગદળના જવાબદાર કાર્યકર્તાને મળવા માટે બોલાવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની મુદ્દાસર રજૂઆતો સાંભળી હતી અને માન્ય પણ રાખેલ અને સાથે વિહિપ અને બજરંગદળ દ્વારા આવેદનપત્રમાં જે મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી તેનો યોગ્ય સમયે નિકાલ પણ કરવામાં આવશે તેવી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ખાતરી આપવામાં આવી છે.

