મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી: ડેસ્ક યોગા, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે યોગ


SHARE







મોરબી: ડેસ્ક યોગા, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે યોગ

ભારતીય સંસ્કૃતિમાં યોગ અને ધ્યાન એ આપણી પુરાતન અને ઋષિ પરંપરાગત સંસ્કૃતિ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. યોગાસન માત્ર શારીરિક કસરત નથી, તે માનસિક અને આત્મિક સુખ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. યોગાસન કરતી વખતે શ્વાસપ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત થતું હોવાથી તણાવ ઘટાડે છે અને  માનસિક શાંતિ મળે છે.

આજના સમયે આપણી જીવનની શૈલીમાં પરિવર્તન આવ્યું છે અને આ પરિવર્તનની સાથે સ્થૂળતા, મેદસ્વિતા અને આળસના કારણે આપણું શરીર અનેક રોગનું ઘર બન્યું છે. ત્યારે યોગ આવી અનેક સમસ્યાઓના સમાધાન તરીકે વિશિષ્ટ ભૂમિકા ભજવે છે યોગાસનો થકી ચિંતાનો નાશ થાય છે અને એકાગ્રતા વધે છે. મોડું સુવું-જાગવું, ખોટી આહારશૈલી વગેરેથી થતી અસંખ્ય તકલીફો યોગાસનથી દૂર કરી શકાય છે. ખાસ કરીને ઓફિસમાં બેઠાડું જીવન અને તણાવના કારણે યોગાસન ખૂબ જરૂરી છે. જે માટે 'ચેર યોગા' કે 'ડેસ્ક યોગા'ની પ્રણાલીને અનુસરી ઓફિસમાં અંતરાલ સમયમાં યોગા અભ્યાસની સરળ સૂક્ષ્મ ક્રિયાઓ અને મુદ્રાઓ થકી ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતી પીઠ, ઘૂંટણ, કંધાની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.

આગામી ૨૧ જૂને ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં ઉર્જાભેર ઉજવણી કરવામાં આવનાર છે. ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોગ ફોર વન અર્થ, વન હેલ્થની થીમ પર ઉજવવામાં આવનાર છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રમાણિક ઓફિસમાં અંતરાલ સમયમાં કરી શકાય તેવી યોગિક ક્રિયાઓ સૂક્ષ્મ ક્રિયાઓ અને યોગાસનો વિશે વિસ્તૃત વાત કરીએ, જે યોગાસનો ઓફિસની જગ્યામાં આરામથી થઈ શકશે અને તેના લાભ પણ જબરદસ્ત મળશે.

ગરદનની સૂક્ષ્મ ક્રિયા, હાથની સુક્ષ્મ ક્રિયા, ખભાની સૂક્ષ્મ ક્રિયા, કમરની સૂક્ષ્મ ક્રિયા, તાડાસન (બેસીને), અર્ધ ચક્રાસન (બેસીને), પાદ હસ્તાસન(બેસીને વિગેરે ઓફિસમાં બેસીને કરી શકાય તેવા આસનો છે જો કે, આસનો અને સુક્ષ્મ ક્રિયા કરતી વખતે નિષ્ણાંતોની સલાહ લીધા બાદ તે કરવા જોઈએ અને કમર દર્દ, હૃદય સંબંધી બીમારી હોય તો પૂરેપૂરું માર્ગદર્શન મેળવી સુક્ષ્મ ક્રિયાઓ અને આસનો કરવા જોઈએ.






Latest News