મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

એક સાંધોને તેર તૂટે: મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરતાં સમયે પાણીની મેઇન લાઇનમાં કર્યું ભંગાણ !


SHARE











એક સાંધોને તેર તૂટે: મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરતાં સમયે પાણીની મેઇન લાઇનમાં કર્યું ભંગાણ !

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અરુણોદયનગર સોસાયટીમાંથી વરસાદી પાણીનો નિકાલ મચ્છુ નદી તરફ થાય તેના માટે વરસાદી પાણીના નિકાલની કેનાલ આવેલ છે તેમાં માટીના ઢગલા અને બાંધકામ વેસ્ટ નાખીને તેને બંધ કરવામાં આવી હતી જેથી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને આ બાબતે મનપાના જવાબદાર અધિકારી અને કર્મચારીને જાણ કરવામાં આવતા તાત્કાલિક જેસીબી લઈને મનપાની ટીમ આવી હતી અને વરસાદી પાણીના નિકાલમાં કરવામાં આવેલ માટી તેમજ બાંધકામ વેસ્ટના ઢગલા કરવામાં આવ્યા હતા તેને દૂર કર્યા હતા જો કે, આ કામગીરી કરતાં સમયે જેસીબીનું બકેટ પાણી સપ્લાઈની મેઇન લાઇનમાં લાગી ગયું હતું જેથી કરીને પાણીની લાઈનમાંથી આજે સવારથી પાણીનો વેડફાટ થવા લાગ્યો હતો જેથી આ અંગેની મનપામાં જાણ કરવામાં આવતા મનપાની ટિમ તાત્કાલિક ત્યાં લાઇન રીપેર કરવા માટે પહોચી હતી.






Latest News