ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

નિષ્ઠાને સલામ : મોરબીના બુટવડામાં ૧.૧૦ લાખના દાગીના ભરેલ થૈલી મળતા મૂળ માલીકને પરત કરી


SHARE











નિષ્ઠાને સલામ : મોરબીના બુટવડામાં ૧.૧૦ લાખના દાગીના ભરેલ થૈલી મળતા મૂળ માલીકને પરત કરી

મોરબીના હળવદ તાલુકાના બુટવડા ગામના નવઘણભાઇ જોરૂભાઇ વાસાણીને એક થેલી મળેલ હતી જે થેલીમાં કાનના સોનાના બુટીયા અને સોનાની વિટી અંદાજીત કિંમત રૂા.૧,૧૦,૦૦૦ જેવી થતી હતી અને તે થાલીમાં નવા કપડા પણ હતા અને તેવી જાણ થતા જ નવઘણભાઇએ તરત જ હળવદના અજજુભાઇનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેમને મળેલ સોનાના દાગીનાના સાચા માલીકની શોધખોળ માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી અજજુભાઇએ મહેનત કરી હતી અને ત્યારે ગણતરીના સમયમાં જ તેના સાચા માલિક મળી આવતા તેમની સાથે સોનાના દાગીના-કપડા સહૂતની વસ્તુઓની ખરાઈ કરીને ત્યાર બાદ તેનુ આધારકાર્ડ લઈને તે ભાઇને તે કિંમત થૈલી આપી દીધી હતી. જે વ્યક્તિની થૈલી પડી ગઈ હતી તેમનુ નામ ઠાકોર મહેશજી નટવરજી હતુ અને તેઓ રણમલપુર ગામના વતની છે. કિંમતી થૈલી પરત મળતા જેમની થૈલી હતી તે મહેશજી ઠાકોરે થૈલી પરત આપનાર નવઘણભાઇનો આભાર માન્યો હતો. કેમ કે આજના સમયમાં આવા નિષ્ઠાવાન માણસો ઓછા મળે છે અને નવઘણભાઇ આજે એવો સંદેશ પુરો પાડ્યો છે કે જીવનમા કોઇને કાંઇ આપી ન શકી તો કાંઇ નહી પરંતુ કોઇનુ મળેલુ રાખવુ પણ શું કામ જોઇ.






Latest News