મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

નિષ્ઠાને સલામ : મોરબીના બુટવડામાં ૧.૧૦ લાખના દાગીના ભરેલ થૈલી મળતા મૂળ માલીકને પરત કરી


SHARE











નિષ્ઠાને સલામ : મોરબીના બુટવડામાં ૧.૧૦ લાખના દાગીના ભરેલ થૈલી મળતા મૂળ માલીકને પરત કરી

મોરબીના હળવદ તાલુકાના બુટવડા ગામના નવઘણભાઇ જોરૂભાઇ વાસાણીને એક થેલી મળેલ હતી જે થેલીમાં કાનના સોનાના બુટીયા અને સોનાની વિટી અંદાજીત કિંમત રૂા.૧,૧૦,૦૦૦ જેવી થતી હતી અને તે થાલીમાં નવા કપડા પણ હતા અને તેવી જાણ થતા જ નવઘણભાઇએ તરત જ હળવદના અજજુભાઇનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેમને મળેલ સોનાના દાગીનાના સાચા માલીકની શોધખોળ માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી અજજુભાઇએ મહેનત કરી હતી અને ત્યારે ગણતરીના સમયમાં જ તેના સાચા માલિક મળી આવતા તેમની સાથે સોનાના દાગીના-કપડા સહૂતની વસ્તુઓની ખરાઈ કરીને ત્યાર બાદ તેનુ આધારકાર્ડ લઈને તે ભાઇને તે કિંમત થૈલી આપી દીધી હતી. જે વ્યક્તિની થૈલી પડી ગઈ હતી તેમનુ નામ ઠાકોર મહેશજી નટવરજી હતુ અને તેઓ રણમલપુર ગામના વતની છે. કિંમતી થૈલી પરત મળતા જેમની થૈલી હતી તે મહેશજી ઠાકોરે થૈલી પરત આપનાર નવઘણભાઇનો આભાર માન્યો હતો. કેમ કે આજના સમયમાં આવા નિષ્ઠાવાન માણસો ઓછા મળે છે અને નવઘણભાઇ આજે એવો સંદેશ પુરો પાડ્યો છે કે જીવનમા કોઇને કાંઇ આપી ન શકી તો કાંઇ નહી પરંતુ કોઇનુ મળેલુ રાખવુ પણ શું કામ જોઇ.






Latest News