મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસીયામાં યુવાનની કુહાડી અને છરીના ઘા ઝીકિને હત્યા: પાંચ વ્યક્તિઑ સારવારમાં


SHARE











વાંકાનેરના પંચાસીયામાં યુવાનની કુહાડી અને છરીના ઘા ઝીકિને હત્યા: પાંચ વ્યક્તિઑ સારવારમાં

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા પંચાસીયા ગામે દીકરી ભગાડી જવાની વાતો કરવામાં આવી રહી હતી જેથી તે બાબતે બોલાચાલી થઇ હતી અને કુહાડી, છરી સહિતના હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા એક યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવમાં હત્યાની એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયામાં જેતીબેન વલ્લભભાઈ કુંઢીયા જાતે દેવીપૂજક (ઉ.૫૦) એ હાલમાં બાલુભાઈ લાભૂભાઈ કુંઢીયા, લાભૂભાઈ ભલુભાઇ કુંઢીયા અને દૂધીબેન લાભૂભાઈ કુંઢીયા સામે તેના દીકરા રાજુની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી બાલુભાઈ લાભુભાઈ કુંઢીયા ફરિયાદી મહિલાના દિયર બાબુભાઈ નરશીભાઈની દીકરીને ભગાડી જવી છે તેવી વાતો કરતો હતો જેથી બાલુભાઈ લાભુભાઈ તથા ફરિયાદિના દિયર બાબુભાઈ નરશીભાઈ વચ્ચે ઝધડો થયો હતી અને ત્યારે ફરિયાદીના પતિ વલ્લભભાઈ અને દીકરો રાજુભાઈ વચ્ચે પડ્યા હતા ત્યારે બાલુભાઈ લાભુભાઈ કુંઢીયાએ ફરિયાદી અને તેના પતિ વલ્લભભાઈ, દિયર બાબુભાઇ, દીકર રાજુભાઇ, રસીલાબેન, ભત્રીજા હરેશભાઈ બાબુભાઇને ગાળો આપી હતી અને કુહાડી તેમજ છરી વડે હુમલો કરીને ઇજાઓ કરી હતી ત્યારે રાજુભાઈને છરીના બે થી ત્રણ ઘા પડખામાં માર્યા હતા અને આરોપી દુધીબેન લાભુભાઈ તેમજ લાભુભાઈએ ફરિયાદી અને તેના પરિવારના લોકોને લાકડી વડે માર માર્યો હતો અને આ બનાવમાં ઇજા પામેલા રાજુ વલ્લભભાઈ કુંઢીયા (ઉ.૨૬) નું મોત નીપજ્યું છે જેથી કરીને પોલીસે હત્યા સહિતની લાં હેઠળ ગુનો નોંધીને આરોપી બાલુભાઈ લાભુભાઈ કુંઢીયા, લાભુભાઈ ભલુભાઈ કુંઢીયા અને દુધીબેન લાભુભાઈ કુંઢીયાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે હાલમાં વલ્લભભાઈ અને તેના ભાઈ બાબુભાઇને વધુ ઇજાઓ હોવાથી રાજકોટ ખાતે સારવારમાં ખસેડાયા છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે






Latest News