વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિક બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી ઇશ્યૂ કરાઇ


SHARE











મોરબી મહાપાલિક બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી ઇશ્યૂ કરાઇ

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ બાંધકામ મંજૂરી માટે થઈને અરજી કરવામાં આવતી હોય છે દરમિયાન મોરબી શહેરના વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેણાંક મકાન માટેની પ્રથમ બાંધકામ મંજૂરી આપવામાં આવેલ છે. અને મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી કરવામાં આવ્યું છે.

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના જુદા જુદા વિસ્તારની અંદર જે ગેરકાયદે બાંધકામો છે તેને તોડવા માટેની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ કાયદેસરની જગ્યા ઉપર નિયમ મુજબ બાંધકામ કરવા માટે થઈને આસામીઓ દ્વારા બાંધકામ માટેની અરજીઓ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠે આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા જોષી કિરીટભાઈ કાંતિલાલ દ્વારા મોરબી નગરપાલિકા માન્ય ઇજનેર અનિલભાઈ મીરાણી (અપૂર્વ હોમ પ્લાન) વાળા મારફતે અરજી કરવામાં આવી હતી અને તેઓની રહેણાંક મકાન બનાવવા માટેની અરજીને મહાનગરપાલિકામાંથી મંજૂરી આપવામાં આવેલ છે આમ મોરબી શહેરમાં હવે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ મંજૂરી આપવાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.






Latest News