મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન માંડવીનાં રમણીય બીચ ઉપર સાંસદ સહીતનાઓ દ્રારા યોગ દિવસની ઉજવણી ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન: માર્કશીટો મંગાવવામાં આવી મોરબીમાં શનાળા રોડે ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટ કરી ટીશર્ટ ફાડી નાખ્યું મોરબીના પીપળી ગામ પાસેની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા: મહિલાઓએ કર્યો હોબાળો
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે સ્વામી નારાયણ મંદિર પાસે બનાવેલ દિવાલ તોડવા સામાજીક કાર્યકરોની માંગ


SHARE















મોરબીમાં મચ્છુ નદીના કાંઠે સ્વામી નારાયણ મંદિર પાસે બનાવેલ દિવાલ તોડવા સામાજીક કાર્યકરોની માંગ

મોરબીની મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામી નારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને ત્યાં નદી પાસે એક મોટી દીવાલ બનાવવામાં આવેલ છે જેના લીધે નદીનું પાણી અવરોધાઈ અને શહેરમાં નુકશાની થાય તેવી શક્યતા છે જેથી કરીને આ ગેરકાયદે બનાવવામાં આવેલ દીવાલને તોડી પાડવામાં આવેલ તેવી માંગ સામાજિક કાર્યકરોએ કરેલ છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડિયા દેવેશ, ગીરીશભાઈ કોટેચામુખ્યમંત્રી, મોરબીના કલેકટર, મનપાના કમિશનર અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરીને મચ્છુ નદીના કાંઠે બની રહેલ BAPS સ્વામી નારાયણ સંસ્થાના મંદિરના સંચાલકો દ્વારા ૩૦ ફૂટ ઉંચી દીવાલ બનાવવામાં આવેલ છે જેથી કરીને નદીમાં આવતું પાણી ચોમાસામાં અવરોધાઈ અને શહેરમાં નુકશાની થાય તેવી પૂરેપુરી શક્યતા છે જેથી મોરબીમાં પૂર જેવી કોઈ દુર્ઘટના બને તે પહેલા મંદિરના સંચાલકો દ્વારા ગેરકાયદે બનાવવામાં આવેલ દીવાલ તોડી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, અગાઉ મોરબીના કલેકટર દ્વારા દીવાલને તોડી પાડવાનો હુકમ કરવામાં આવેલ હતો પરંતુ આજની તારીખે પણ દીવાલ તોડવામાં આવેલ નથી. ત્યારે જો મનપા દ્વારા દુકાન પાસેના ઓટલા અને છાપરાના ગેરકાયદે દબાણો તોડવા માટેની કામ કરવામાં આવે છે તો પછી લોકોના જીવ માટે ચોમાસામાં જોખમી બની શકે તેવી દીવાલને તોડવા માટેની કામગીરી કેમ કરવામાં આવી રહી નથી. તે સૌથી મોટો સવાલ છે.






Latest News