મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં... લાઇવ મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી મનપાની દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એકને ખોળ-બીજાને ગોળ: વિહિપનો ગંભીર આક્ષેપ


SHARE















મોરબી મનપાની દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એકને ખોળ-બીજાને ગોળ: વિહિપનો ગંભીર આક્ષેપ

મોરબી મનપા દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એક ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ અપનાવે છે તેવો તેવો ગંભીર આક્ષેપ વિહિપ દ્વારા કરવામાં આવેલ છે અને વિહિપના આગેવાનો કમિશનરને આવેદનપત્ર આપવા ગયા હતા. ત્યારે કમિશનરે વિહિપના આગેવાનોને મળવાની ઘસીને ના પાડી દીધી હતી.

મોરબી વિહિપના આગેવાનો મનપાના કમિશનરને રજુઆત કરવા માટે મહાપાલિકા કચેરીએ ગયા હતા ત્યારે કમિશનરે તેઓને મળવાની ના પાડી દીધી હતી અને ડેપ્યુટી કમિશનરને મળવા માટે કહ્યું હતું જેથી વિહિપના આગેવાનોમાં નારાજગી હતી કેમ કે, મોરબીના લોકોને મળવા માટે ખુદ કમિશનરે સોમવારનો દિવસ નિશ્ચિત કરેલ છે તો પણ વિહિપના આગેવાનોને તે મળ્યા ન હતા જેથી રાજ્યનાં મુખ્યમંત્રી અને મોરબીના કલેક્ટર પણ લોકોને સીધા મળીને તેઓની રાજુયાતોને સાંભળે છે તો પછી મનપાના કમિશનરને વિહિપના આગેવાનોને મળવામા અને તેઓની રજૂઆતને સાંભળવામાં વાંધો શું છે તે તપાસનો વિષય છે.

વધુમાં વિહિપના આગેવાન પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં સ્મશાનની બાજુમાં આવેલા વોકળા પર બનેલી યદુનંદન ગૌશાળાનું બાંધકામ અવરોધરૂપ હોય તોડી નાખ્યું હોય તો ગૌશાળાના બાંધકામની સીધી લીટીમાં આવેલા મકાન કેમ પાડવામાં નથી આવ્યા ?, કાલીકા પ્લોટમાં કે જ્યાંથી શનાળા રોડ અને રવાપર રોડનો પાણીનો નિકાલ છે ત્યાં દબાણો છે તેને કેમ દૂર કરવામાં ન આવ્યા ?, મોરબીમાં આવેલ મણીમંદિરની બાજુમાં જે દબાણ છે તેનો કેસ પણ ચાલુ છે તો તેના લાઇટ અને પાણીના જોડાણ બાબતે કેમ કોઈ કાર્યવાહી કરેલ નથી ?, મહાપાલિકાની પોતાની જગ્યા (પવડીનો ડેલો)માં પણ ગેરકાયદેસર દબાણ છે તેને કેમ તોડવામાં આવતું નથી ? મોરબીમાં હરતા-ફરતા પશુઓના અવેડા તોડી પાડવામાં આવેલ છે જો કે, ગેરકાયદે કતલખાના આજની તારીખે પણ ચાલી રહ્યા છે? જેથી કરીને કાયદા મુજબની એક સમાન કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News