મોરબી જીલ્લામાં 19,661 બોટલ ડુપ્લિકેટ દારૂ ઘુસાડવાના ગુનામાં પકડાયેલા બે આરોપી જેલ હવાલે
મોરબીમાં બોગસ ખેડુત ખાતેદારની જમીન ખાલસા કરવા કલેકટરનો આદેશ, ૬ આસામીઓને ફટકાર્યો ૩૨ લાખથી વધુનો દંડ
SHARE








મોરબીમાં બોગસ ખેડુત ખાતેદારની જમીન ખાલસા કરવા કલેકટરનો આદેશ, ૬ આસામીઓને ફટકાર્યો ૩૨ લાખથી વધુનો દંડ
મોરબી જિલ્લામાં બોગસ ખેડૂત ખાતેદાર બની ગયા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી જેથી કલેકટર કે. બી.ઝવેરીએ ટંકારાના જીવાપર ગામે જમીન ખરીદનાર હરબટિયાળી ગામના એક જ પરિવારના છ સભ્યોની કિંમતી જમીન ખાલસા કરવાનો હુકમ કર્યો છે અને ૩૨ લાખથી વધુનો દંડ ફટકાર્યો છે.
ટંકારાના હરબટિયાળી ગામના રહેવાસી રાઘવજીભાઈ મોહનભાઈ, સવિતાબેન રાઘવજીભાઈ, રજીનીકાંત રાઘવજીભાઈ, ભાવેશ રાઘવજીભાઈ, કિરીટભાઈ રાઘવજીભાઈ અને શિલ્પાબેન રાઘવજીભાઈએ જીવાપર ગામના સર્વે નંબર ૧૬૭ પૈકી ૧ની જમીન ખરીદ હતી અને હોય નોંધ પડી ગયા બાદ ખેડૂત ખાતેદાર હોવાની ઓનલાઈન અરજી કરતા પ્રાંત અધિકારીને જમીન ખરીદનાર ખેડૂત ખાતેદાર હોવા અંગે શંકા જતા મામલતદાર ટંકારા મારફતે ઉપરોક્ત નોંધ સહિતની બાબતોની તપાસ કરાવી હતી જેમા રાઘવજીભાઈ મોહનભાઈએ ઓટાળા ગામે જમીન ધરાવતા હોવાના પુરાવા સાથે જીવાપરમાં જમીન ખરીદી હોવાનું દર્શાવ્યું હતું. જો કે, ટંકારાના ઓટાળા ગામે જમીન ધરાવતા મોહનભાઈ હીરાભાઈ રાવરિયા અને બોગસ ખેડૂત ખાતેદાર બનેલા રાઘવજીભાઈના પિતા મોહનભાઈ અલગ અલગ હોવાનું સામે આવ્યું હતું.
જેથી મોરબીના પ્રાંત અધિકારીએ કલેકટરને અહેવાલ મોકલી સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ ૫૪ ના ભંગ બદલ કલમ ૭૫ હેઠળ પગલાં ભરવા રિપોર્ટ કર્યો હતો. જેથી કલેકટર્કે સ રિવિઝનમાં લીધો હતો જે ચાલી જતા આ કામના અરજદારોએ પોતાના બચાવમાં કહ્યું હતું કે, તેઓના દાદા હીરાભાઈ રવાભાઈ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સુઈ ગામના ખાતેદાર હતા. જે બાદ ટંકારા તાલુકામાં તેઓએ જમીન ખરીદી હોવાનું જણાવ્યું હતું. જો કે, કલકેટરની તપાસમાં કચ્છ રાપરના સુઈ ગામના ખેડૂત હીરાભાઈ રવાભાઈ તેમની હૈયાતીમાં જ તેમના પુત્ર ભીખાભાઈ હીરાભાઈ અને કેશાભાઈ હીરાભાઈને જમીન ૧૯૯૩મા વહેંચણી કરી દીધી હોવાનું તેમજ તેમના પુત્ર મોહનભાઈનો હક્ક જતો કર્યાનું કે વહેંચણીમા ક્યાંય ઉલ્લેખ નથી.
આ ઉપરાંત તા. ૨૮/૫/૨૦૨૪ ના રોજ રજૂ કરેલા પેઢીનામાંમા મોહનભાઈનું અવસાન થયું હોવાનું દર્શાવતા હરબટિયાળી ગામના રાઘવજીભાઈ મોહનભાઈ સહિતના અસામીઓ ભળતા નામે ખેડૂત ખાતેદાર બન્યા હોવાનું સ્પષ્ટ થતુ હતુ જેથી કલેકટર કે.બી.ઝવેરીએ સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ ૫૪ના ભંગ બદલ કલમ ૭૫ હેઠળ પગલાં લઈ હરબટિયાળી ગામના રાઘવજીભાઈ મોહનભાઈ સહિતના તમામ છ આસામીઓ બોગસ ખેડૂત ખાતેદાર જાહેર કરીને જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. અને ૩૨,૯૦,૭૪૨ દંડ ફટકારી રાઘવજીભાઈ મોહનભાઈ સહિતના ખાતેદારોએ મોરબી જિલ્લાના જ્યાં ક્યાંય પણ જમીન ખરીદી કરી હોય તે તમામ નોંધ રદ કરવા અને આ ખેડૂતના નામે જમીન આવેલ હોય તો તપાસ કરી કલેકટર સમક્ષ દરખાસ્ત કરવા કલેકટરે આદેશ કર્યો હતો.

