મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શેરીમાં દેકારો કરીને ગાળો બોલનાર શખ્સે યુવાનને ગાળો આપીને ધોકા વડે મારમાર્યો


SHARE











વાંકાનેરમાં શેરીમાં દેકારો કરીને ગાળો બોલનાર શખ્સે યુવાનને ગાળો આપીને ધોકા વડે મારમાર્યો

વાંકાનેર નજીક અમરસર ગામે રહેતા યુવાનની શેરીમાં દેકારો કરીને ગાળો બોલનારો શખ્સ સાંજના સમયે તેને બજારમાં મળ્યો હતો ત્યારે તું કેમ શેરીમાં દેકારો કરતો હતો તેવું કહેતા સામેવાળો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે યુવાનને ગાળો આપી હતી અને ઝઘડો કરીને લાકડાના ધોકા વડે યુવાનને શરીરે તથા ડાબા હાથમાં માર મારીને ફેક્ચર જેવી ઈજા કરતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર નજીક આવેલ અમરસર ગામે રહેતા વિનોદભાઈ જીવાભાઈ ધંધુકિયા (39) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ વેરશીભાઈ સીતાપરા રહે. અમરસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી ફરિયાદીની શેરીમાં દેકારો કરીને ગાળો બોલતો હતો અને સાંજના સાત વાગ્યાના અરસામાં ફરિયાદી જ્યારે બજારમાં જતા હતા ત્યારે આરોપી તેને ત્યાં રસ્તામાં ભેગો થતા તું કેમ શેરીમાં દેકારો કરતો હતો તેવું કહ્યું હતું જે સામેવાળાને સારું નહીં લાગતા તેણે ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ઝઘડો કરીને પોતાના ઘરમાંથી લાકડાના ધોકો લઈ આવીને ફરિયાદી યુવાનને શરીરે તથા ડાબા હાથમાં માર માર્યો હતો અને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જેથી ઈજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારામારીમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં જીયાબેન સચિનભાઈ દેવીપુજક (22) તેમજ જીનાલીબેન અશોકભાઈ ચાવડા (12) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ બંને વ્યકતિને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીમાં આવેલ કડિયા શેરી હવેલી ચોક પાસે રહેતા વર્ષાબા રાજેન્દ્રસિંહ રાણા (21) નામની મહિલાને સામાન્ય બાબતે બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલ મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News