મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી ક્રૂઝર ગાડીમાં કતલખાને લઈ જવાતા 26 ઘેટાંને ગૌરક્ષકોએ બચાવ્યા


SHARE













મોરબીની રવિરાજ ચોકડી પાસેથી ક્રૂઝર ગાડીમાં કતલખાને લઈ જવાતા 26 ઘેટાંને ગૌરક્ષકોએ બચાવ્યા

મોરબીની રવિરાજ ચોકડી પાસે ક્રુઝર ગાડી પસાર થઈ રહી હતી તેને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી અને તેને ચેક કરવામાં આવતા તે ગાડીમાં ક્રૂરતાપૂર્વક 26 જેટલા ઘેટાંને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી તેને બચાવીને પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોરબી ગૌરક્ષક તેમજ વિહિપ અને બજરંગ દળના આગેવાનોને મળેલ બાતમી આધારે કચ્છ મોરબી રોડે વોચ રાખી હતી અને ત્યારે મોરબીની રવિરાજ ચોકડી પાસેથી ક્રુઝર ગાડી પસાર થયેલ હતી જેને રોકીને ચેક કરી હતી ત્યારે તે ગાડી નંબર જીજે 3 ઝેડ 9921 માંથી 26 ઘેટાં મળી આવ્યા હતા જેને દોરડા વડે બાંધીને ગાડીના કાચ ઉપર પડદા રાખીને જઈ રહ્યા હતા અને આ ઘેટાંને રાજકોટ કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને બચાવવામાં આવેલ ઘેટાંઓને મોરબી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા.






Latest News