મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારાના મોટા રામપર ગામે કરિયાણાની દુકાન પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી


SHARE











ટંકારાના મોટા રામપર ગામે કરિયાણાની દુકાન પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી

ટંકારાના મોટા રામપર ગામમાં કરિયાણાની દુકાન પાસે બાઈકને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા અને ખેતી કામ કરતા પરીક્ષિતસિંહ રણુભા ઝાલા (33)ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોટા રામપર ગામે કરિયાણાની દુકાન પાસે તેણે પોતાના પિતાજીની માલિકીનું બાઈક નંબર જીજે 3 એફએમ 6620 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઇક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાળક સારવારમાં

હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતો જગદીશ વિઠ્ઠલભાઈ સિહોરા (14) નામનો બાળક બાઇકમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ગામ નજીક બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં જગદીશને ઈજા થહોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

તરુણ સારવારમાં

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કાનમેટ ગામે રહેતા મોહન મેરૂભાઈ (17) નામના તરુણને વાડીએ હતો ત્યારે જમ્યા બાદ ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ્ય ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવારમાં આપીને આ બનાવની પોલીસને જાણ કરેલ છે.






Latest News