મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર પાસે આર્થિક તંગીથી કંટાળીને યુવાને કારખાનાના લેબર ક્વાર્ટરમાં કર્યો આપઘાત


SHARE















વાંકાનેરના લાકડધાર પાસે આર્થિક તંગીથી કંટાળીને યુવાને કારખાનાના લેબર ક્વાર્ટરમાં કર્યો આપઘાત

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર યુવાને આર્થિક તંગીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્નીએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ ઇનડિઝાઇન સીરામીક કારખાનામાં લેવલ કોલોનીના લેબર ક્વાર્ટરની અંદર રહેતા નવલસિંહ કનુભાઈ રાઠૌર (41) નામના યુવાને લેબર ક્વાર્ટરની અંદર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પત્ની સરલાદેવી નવલસિંહ રાઠૌર (40) રહે. હાલ લાકડધાર ગામની સીમ ઇનડિઝાઇન કારખાનાના લેબર ક્વાર્ટરમાં વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાને આર્થિક તંગીના કારણે કંટાળીને પોતે પોતાની જાતે આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

ભચાઉ તાલુકાના લાકડીયા ગામે રહેતા ધનીબેન ડાયાલાલ (58) નામના વૃદ્ધા લાકડીયા ગામ થી સામખયારી તરફ બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રસ્તામાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં વૃદ્ધાને ઈજા થહોવાથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News