મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી અને વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી-નો પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ મોરબી મનપા ફાયર વિભાગે હોસ્પિટલ, સ્કૂલ અને હોટલમાં આપી ફાયરની તાલીમ મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદને ધ્યાને રાખીને તેમજ બિયારણની ખરીદી માટે માર્ગદર્શિકા જાહેર


SHARE















મોરબી જિલ્લામાં કમોસમી વરસાદને ધ્યાને રાખીને તેમજ બિયારણની ખરીદી માટે માર્ગદર્શિકા જાહેર

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા ૨૯ સુધી મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજ-વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે ખેડૂતોને લેવાના તકેદારીનાં પગલા અંગે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી  છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક /તાડપત્રીથી યોગ્ય  રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ઉપરાંત ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા કહેવામા આવ્યું છે અને એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણઅધિકારી /તાલુકા અમલીકરણ અધિકારી /મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

બિયારણની ખરીદી માટે માર્ગદર્શિકા જાહેર
આગામી ચોમાસુ સિઝનમાં ખેડુતો દ્વારા રાસયણીક ખાતર તથા બિયારણની ખરીદી ચાલુ કરાશે ત્યારે આગામી વર્ષમાં ઉત્પાદન સારૂ મળે તે માટે ખેડૂતોએ અત્યારથી જ તૈયારી ચાલુ કરવી પડશે. તે માટે સૌ પ્રથમ જરૂરી છે સારા સર્ટીફાઇડ કે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બિયારણની પસંદગી, જો બિયારણની પસંદગીમાં ખેડુત થાપ ખાય તો આખુ વર્ષ નુકસાનીનુ જાય છે. બિયારણ હંમેશા સારી ગુણવતાવાળુ, આજુબાજુના વિસ્તારમાં સારા પરિણામો મળ્યા હોય તેવું જાણીતું તથા જોયેલું હોય તેવું, જમીનને અનુરૂપ વહેલી, મધ્યમ કે મોડી જાત તથા પાણીની સગવડતા મુજબનું અધિકૃત લાયસન્સ/ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ અને સબસીડીવાળા ખાતર આધારકાર્ડ તથા ફિંગરપ્રીંટ સિવાય મળતા નથી. જેથી હંમેશા જ્યા પી.ઓ.એસ. મશીન સુવિધા હોય તેવા સરકાર માન્ય ડિલરો પાસેથી બીલથી જ ખરીદી કરવી જોઇએ, થેલી પર ઉર્વરક કે ફર્ટીલાઇઝર શબ્દ લખેલો હોવો જોઇએ. અને અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ને તુરંત જાણ કરવા મોરબી નાયબ ખેતી નિયામક(વિ.)ની યાદીમાં જણાવાયું છે






Latest News