ટંકારા લૂંટા કેસ: કારખાનનો શેડ ભાડે આપનાર સામે પણ ગુનો નોંધાયો
તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં 11 લોકોને 2.60 લાખના મોબાઈલ શોધીને પાછા આપ્યા
SHARE








તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં 11 લોકોને 2.60 લાખના મોબાઈલ શોધીને પાછા આપ્યા
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.ખરાડી અને તેની ટીમ કામ કરી રહી છે અને વાંકાનેર સીટી વિસ્તારમાં અરજદારોના ખોવાયેલ/ ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી તેવામાં ભરતભાઈ દલસાણીયાએ "CEIR” પોર્ટલનો ઉપયોગ કરી "CEIR"મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરીને કુલ 11 જેટલા મોબાઈલ ફોન જેની આસરે કિંમત 2.60 લાખ થાય છે તે શોધીને તેના મૂળ માલિકોને પરત આપેલ છે. આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.ખરાડીની સૂચના મુજબ યશપાલસિંહ પરમાર, મુકેશભાઈ ચાવડા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા તથા ભરતભાઇ દલસાણીયાએ કરી હતી.

