મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીની સિલ્વર પાર્ક અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં એક-એક વૃદ્ધે જીવનનો અંત આણ્યો


SHARE















મોરબીની સિલ્વર પાર્ક અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં એક-એક વૃદ્ધે જીવનનો અંત આણ્યો

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં તેમજ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા બે વૃદ્ધોએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસા ખાઈ લીધા હતા જેથી તે બંનેના વૃદ્ધના મોત નીપજયાં હતા આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં કલ્યાણ ગ્રામ શાળાની બાજુમાં રહેતા રમેશભાઈ છગનભાઈ ચાવડા (60) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક વૃદ્ધના દીકરા સંજયભાઈ રમેશભાઈ ચાવડા (29) રહે. જુના ઘૂટું રોડ સિલ્વર પાર્ક સોસાયટી મોરબી વાળાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર મણીલાલ કારીયા (60) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

અકસ્માતના બનાવમાં ઇજા

મોરબીના સનાળા રોડ પર રહેતા દેવેન્દ્રભાઈ જીવરામભાઈ ટાંક (58) નામના વૃદ્ધ સનાળા રોડ ઉપર આવેલ રેવા ટાઉનશિપ પાસેથી બાઈક ઉપર જતાં હતા ત્યારે બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જેમાં તેઓને ઈજા થવાથી તેમને સારવાર માટે લઈને આવ્યા હતા જ્યારે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો એજાજ ઘાંચી (22) નામનો યુવાન નવલખી રોડ પર આવેલ કુબેરનગર રોડ પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપી હતી અને આ બંને બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News