મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીની સિલ્વર પાર્ક અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં એક-એક વૃદ્ધે જીવનનો અંત આણ્યો


SHARE











મોરબીની સિલ્વર પાર્ક અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં એક-એક વૃદ્ધે જીવનનો અંત આણ્યો

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં તેમજ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા બે વૃદ્ધોએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસા ખાઈ લીધા હતા જેથી તે બંનેના વૃદ્ધના મોત નીપજયાં હતા આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં કલ્યાણ ગ્રામ શાળાની બાજુમાં રહેતા રમેશભાઈ છગનભાઈ ચાવડા (60) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક વૃદ્ધના દીકરા સંજયભાઈ રમેશભાઈ ચાવડા (29) રહે. જુના ઘૂટું રોડ સિલ્વર પાર્ક સોસાયટી મોરબી વાળાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર મણીલાલ કારીયા (60) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

અકસ્માતના બનાવમાં ઇજા

મોરબીના સનાળા રોડ પર રહેતા દેવેન્દ્રભાઈ જીવરામભાઈ ટાંક (58) નામના વૃદ્ધ સનાળા રોડ ઉપર આવેલ રેવા ટાઉનશિપ પાસેથી બાઈક ઉપર જતાં હતા ત્યારે બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જેમાં તેઓને ઈજા થવાથી તેમને સારવાર માટે લઈને આવ્યા હતા જ્યારે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો એજાજ ઘાંચી (22) નામનો યુવાન નવલખી રોડ પર આવેલ કુબેરનગર રોડ પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપી હતી અને આ બંને બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News