મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો વર્ગ શરૂ થયો


SHARE







વાંકાનેર ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો વર્ગ શરૂ થયો

સંગઠિત મહિલા શક્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્ય માટે ૧૯૩૬ માં શરૂ થયેલ રાષ્ટ્ર સેવિકા સમિતિનું કાર્ય ભારતના તમામ પ્રાંતો અને જિલ્લાઓ અને નગર સુધી પ્રસર્યું છે.સૌરાષ્ટ્ર પ્રાંતમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા શાખાઓ દૈનિક તથા સાપ્તાહિક ધોરણે લાગે છે. સૌરાષ્ટ્ર પ્રાંતનો  રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રશિક્ષણ વર્ગ તાજેતરમાં વાંકાનેર ખાતે પ્રારંભ થયો હતો.

સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રવેશ શિક્ષા વર્ગ વાંકાનેર  મધ્યે યોજવામાં આવ્યો છે.વર્ગાધિકારી પૂનમબેન રાવલ અને પ્રાંત કાર્યવાહીકા નીતાબેન જાનીનું માર્ગદર્શન રહેશે.શિક્ષિકાઓ દ્વારા દંડ, નિયુદ્ધ(કરાટે), સમતા,ઘોષ (બેન્ડ) નું વર્ગ દરમિયાન પ્રશિક્ષણ કરવામાં આવશે.આ વર્ગમાં કુલ ૫૨ શિક્ષાર્થીઓ જે આખા સૌરાષ્ટ્રના કુલ ૧૩ સ્થાનોથી આવેલા છે.જેઓ પૂર્ણ સમય સંકુલમાં જ રોકાઈને ભારત માતાની સેવા કરવા માટે પ્રાતઃ ૫ થી લઈ રાત્રીના ૧૦:૩૦ સુધી શારીરિક, બૌદ્ધિક, ચર્ચા, ગીત જેવા વિવિધ સત્રો દ્વારા "નારી કભી ના હારી" જેવા સૂત્ર ને ચરિતાર્થ કરવા સ્વની સાધના કરશે.૧૦ શિક્ષિકા, ૧ પ્રબંધિકા, ૬ અધિકારી માર્ગદર્શન આપી રહ્યા છે.આ ૧૦ દિવસની સાધના અંતર્ગત બહેનોનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક વિકાસ થાય તે માટે યોગ, આસન, દંડ, નીયુધ્ધ, ઘોષ, સમતા, ચર્ચા જેવા અનેક વિવિધ વિષયોથી બહેનોનું ધડતર  થાય છે.શાખા દ્વારા ગુણવત્તાયુક્ત સેવિકાઓનું ધડતર થઈ રાષ્ટ્ર પ્રથમનો ભાવ જાગૃત  કરીને દેશ સેવા, દેશ કાર્ય કરવામાં આવતું હોય છે.






Latest News