મોરબીના લક્ષ્મીનગર પાસે અજાણી લાશ મળી, ઓળખ મેળવવા પોલીસ દ્રારા તજવીજ હાથ ધરાઈ
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ
SHARE








મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ
વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ કે જે યુધ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થગિત કરવામાં આવ્યો હતો.તે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ ૨-૫-૨૫ થી ૩૧-૫-૨૫ સુધી ઓમશાંતિ વિધા સંકુલ, ઉમા રિસોર્ટની સામે, જુના આરટીઓની બાજુમાં, કંડલા બાયપાસ, મોરબી ખાતે રાખેલ છે. તારીખ ૨૪-૫-૨૫ થી ૩૧-૫-૨૫ સુધી દુર્ગાવાહિનીના વર્ગનું આયોજન મોરબી જીલ્લા ખાતે કરવામાં આવ્યું છે. તો આ વર્ગમાં ૨૪ મે થી ૩૧ મે સુધી દરરોજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી 'શાખા દર્શન' કરવા મોરબી ની હિન્દુ ધર્મપ્રેમી જનતાને વિશ્વ હિન્દુ પરિષદ-મોરબી દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.
મોરબીના સંગીતાબેન સ્મૃતિમાં ભાટિયા- કુંડારિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ
મોરબીના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે.ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાની દિવ્ય સ્મૃતિમાં દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક, મોરબી ખાતે તા.૨૩-૫ને શુક્રવારના સાંજે ૫ વાગ્યાથી ૮ વાગ્યા સુધી યોજાયો હતો.રક્તદાનએ મહાદાનની ઉક્તિને સાર્થક ખુબ જ મોટી સંખ્યામાં રક્તદાન કરવા આવેલ સૌનો કુંડારિયા અને ભાટિયા પરિવારે આભાર વ્યકત કર્યો હતો.તેમ નવનિતભાઈ કુંડારિયાએ યાદીમાં જણાવાયું છે.

