મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી કલેકટરે પ્રાંત કચેરીના હુકમને રદ કરીને પક્ષકારોના કબ્જા બાબતે સ્થળ સ્થીતી અંગે ખરાઈ કરાવી જુના આધાર પુરાવાઓ મેળવી નીર્ણય કરવા કેસ રીમાન્ડ કર્યો


SHARE













મોરબી કલેકટરે પ્રાંત કચેરીના હુકમને રદ કરીને પક્ષકારોના કબ્જા બાબતે સ્થળ સ્થીતી અંગે ખરાઈ કરાવી જુના આધાર પુરાવાઓ મેળવી નીર્ણય કરવા કેસ રીમાન્ડ કર્યો

મોરબી કલેકટરે પ્રાંત કચેરીના હુકમને રદ કરીને પક્ષકારોના કબ્જા બાબતે સ્થળ સ્થીતી અંગે પુરતી ખરાઈ કરાવીને જુના આધાર પુરાવાઓ મેળવીને વિગતો ચકાસી નીર્ણય કરવા કેસ રીમાન્ડ

આ કેસની ટુંકમા હકીકતો એવી છે કે ગૌરવભાઈ હરજીવનભાઈ કૈલા વિગેરે મહેન્દ્રનગર રોડ મોરબીનાઓએ ઘુંટુ ગામના કાંતીલાલ ભીખાભાઈ કૈલા વિગેરે સામે મોરબી તાલુકાના ઘુંટુ ગામેની ખેતીની સીમ જમીન સ.નં.૧૧૪ ની એ.૮-૦૮ ગુઠા તથા પોત ખરાબો ૦-૩૬ પ્રમોલગેશન નોંધ નાં. ૧૧૨ થી નાગજીભાઈ જીવાભાઈ, ત્રીભોવનભાઈ જીવાભાઈના નામે ચાલતી હતી.જે જમીન વહેચણીમા નાગજીભાઈના ભાગેએ.૫-૨૦ ગુઠા તથા ત્રીભોવનભાઈના ભાગમા એ.૨-૨૮ ગુઠા નોંધાયેલ.

પરંતુ નોંધ નાં.૧૧૨૭,૧૧૨૮ તથા ૪૫૦૦ મા કોડ થયેલ ન હોવાથી ક્ષેત્રફળ સુધારો કરી આપવા વિગેરે મતલબેની તેઓએ મોરબીના મહે. પ્રાંત અધીકારી સમક્ષ અપીલ નાં.૧૪૭/૨૦૨૩ થી ક્ષેત્રફળ સુધારો કરી આપવા વિગેરે મતલબેની અરજી ગૈરવભાઈ વિગેરે સામે કરતા તે અપીલ મંજુર થતા તે નીર્ણય સામે ગૌરવભાઈ હરજીવનભાઈ કૈલા વિગેરેએ મોરબીના મહે. જીલ્લા કલેકટર સાહેબની કચેરીમા રીવીઝન નાં.૨૮/૨૪ થી દાખલ કરી સદરહુ હુકમ રદ કરવા રીવીઝન દાખલ કરેલ અને મુળ નોંધ જેમા સરખા ભાગ પડેલા તે નોંધ કાયમ રાખવા અને નોંધ ના. ૧૧૨૭,૧૧૨૮ તે ગેરકાયદેસરની અને દસ્તાવેજી પુરાવાઓ વગરની હોવાની કાયદાકીય ધારદાર અરજદારો પક્ષે એડ.ભાવેશભાઈ ફુલતરીયા અને એડ.રાજેશભાઈ જોષીની રજુઆતો ઘ્યાને લઈને જીલ્લા કલેકટર મોરબીનાઓએ સદરહુ પ્રાંત કચેરી મોરબીનો હુકમને રદ કરીને પક્ષકારોના કબ્જા બાબતે સ્થળ સ્થીતી અંગે પુરતી ખરાઈ કરાવીને જુના આધાર પુરાવાઓ મેળવીને વિગતો ચકાસી નીર્ણય કરવા કેસ રીમાન્ડ કરવાનો હુકમ તા.૧૦-૫-૨૫ ના રોજ કરવામા આવેલ છે. અરજદાર પક્ષે મોરબીના વકીલ ભાવેશ ભાઈ ડી.ફુલતરીયા તથા રાજેશભાઈ જે.જોષી રોકાયેલા હતા.






Latest News