મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મોમાઈ ધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન


SHARE















માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મોમાઈ ધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

માળિયા મિયાણાં તાલુકાના મોટા દહીંસરા ગામે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા મોમાઈ ધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા જેમાં યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને તેનો રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ જાડેજા પરિવારના લોકો અને સમસ્ત ગ્રામજનો સહિતના લોકોએ લાભ લીધેલ હતો. અત્રે ઉલેખનીય છે કે, મોટા દહીંસરા ગામે મોમાઈ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજમાન પદે જયદીપ એન્ડ કંપનીના સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા પરિવારના જયુભા જાડેજા અને દિલુભા જાડેજા બિરાજ્યા હતા આ કાર્યક્રમમાં કબરાઉં ધામના મહંત ચારણઋષિ સહિતના સંતો-મહંતો તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જયદ્રથસિંહ પરમાર, બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના આગેવાનો, હોદેદારો વિગેરે આવ્યા હતા અને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધેલ હતો.






Latest News