ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના ડીડીઓએ બાંધકામ મંજુરીને લગતા જે પરિપત્રો કર્યા તે રદ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત


SHARE











મોરબીના ડીડીઓએ બાંધકામ મંજુરીને લગતા જે પરિપત્રો કર્યા તે રદ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત

મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા બાંધકામની મંજુરીને લગતા જે પરિપત્રો છેલ્લા સમયમાં કરવામાં આવેલ છે તેના લીધે નાના મકાન ધારકો, નાના ઓદ્યોગીક એકમોને ખલેલ પહોંચે છે જેથી કરીને આ પરિપત્રોને રદ કરવા માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં બચુભાઈ ખાબડને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા છેલ્લા સમયમાં ત્રણ પરિપત્ર બાંધકામ મંજુરીને લઈને કરવામાં આવેલ છે. જેમાં બાંધકામની મંજુરી માટે તાલુકા પંચાયત કચેરી ખાતે જરૂરી આધાર પુરાવાઓ રજુ કરી તાલુકા પંચાયતનો અભિપ્રાય મેળવવાનો રહેશે., ગુજરાત પંચાયત અધિનિયમ ૧૧૯૩ ની કલમ ૧૦૪ મુજબ બાંધકામ મંજુરી માટે ગ્રામ પંચાયતને અધિકાર છે એટલે કે, ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં બાંધકામની મંજુરી લેવાની હોય છે. પરંતુ બાંધકામની મંજુરીમાં તાલુકા પંચાયતનો કોઈ રોલ હોતો નથી, તેમ છતાં બાંધકામની મંજુરીમાં કોઈને વાંધો-તકરાર હોય તો જિલ્લા પંચાયતને અપીલ કરવાની હોય છે. માટે બાંધકામ મંજુરીમાં સચિવ તરીકે તલાટી કમ મંત્રીની સહિ ની જરૂર રહેતી નથી. આ પરિપત્રોને કારણે નાના મકાન ધારકો, નાના ઓદ્યોગીક એકમોને ખલેલ પહોંચેલ છે. જો આ પરિપત્રો રદ કરવામાં આવે તો મકાન ધારકો અને ઔદ્યોગીક એકમોને આર્થિક ક્ષેત્રમાં વેગ મળે તેમ છે. રજુઆતને ધ્યાને લઈને આવા પરિપત્રો માત્ર મોરબી માટે જ કેમ? જેની યોગ્ય તપાસ કરી, પરિપત્રી રદ કરવા માટેની ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.






Latest News