મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશને ડીઆરએમની વિઝિટ બાદ સ્લેબનો ભાગ તૂટી પડ્યો !: રિનોવેશન ખર્ચ સામે સવાલ


SHARE











મોરબીના રેલ્વે સ્ટેશને ડીઆરએમની વિઝિટ બાદ સ્લેબનો ભાગ તૂટી પડ્યો !: રિનોવેશન ખર્ચ સામે સવાલ

મોરબીમાં આવેલ રેલ્વે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં રિનોવેશન કરવામાં આવ્યું છે દરમિયાન ગઈકાલે ડીઆરએમ મોરબી રેલ્વે સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા અને તેઓ મોરબીથી પરત રવાના થયા બાદ રેલવે સ્ટેશનમાં છત ઉપરથી સ્લેબનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો. જોકે સદનસીબે ત્યારે કોઈ ટ્રેનની અવરજવર ન હતી જેથી મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે તેવું ચર્ચા રહ્યું છે. ઉલેખનીય છે કે, સરકારે કરોડના ખર્ચે આ રેલવે સ્ટેશનનું રિનોવેશનનું કામ કોન્ટ્રાક્ટરને આપ્યું હતું પરંતુ ક્યાંકને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરવામાં આવી હોય તેનો બોલતો પુરાવો રેલવે સ્ટેશન ખાતે ગઈકાલે જોવા મળ્યો હતો અને આવી રીતે ભવિષ્યમાં કોઈ જગ્યાએથી કાટમાળ તૂટીને પડે અને કોઈ મુસાફર કે નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે પણ સવાલ ઉઠી રહ્યો છે.






Latest News