મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વર્ષામેડી પાસે કોઝવેની જગ્યાએ ૩ કરોડના ખર્ચે પુલ બનશે


SHARE











માળીયા(મી)ના વર્ષામેડી પાસે કોઝવેની જગ્યાએ ૩ કરોડના ખર્ચે પુલ બનશે 

માળીયા તાલુકાના વર્ષામેડી એપ્રોચ રોડ વચ્ચે આવતાં અને ડુબમાં જતાં કોઝવેની જગ્યાએ લોકોની સુખકારીને ધ્યાનમાં રાખીને ૩ કરોડના ખર્ચે કોઝવેની જગ્યાએ પુલની કામગીરી અહીના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ મંજુર કરવી છે જેથી કરીને લોકોની સુખકારીમાં વધારો થશે. 

રાજ્યના પંચાયતશ્રમ અનેરોજગાર (સ્વતંત્ર હવાલો)ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અને માળીયા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા માળીયા તાલુકાના વર્ષામેડી એપ્રોચ રોડ વચ્ચે આવતાં અને ડુબમાં જતાં કોઝવેની જગ્યાએ ૩ કરોડના ખર્ચે મેજર બ્રીજ બનાવવાની કામગીરી મંજુર કરાવવામાં આવેલ છે. આ પુલની કામગીરી થતાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો તથા પદાધિકારીઓ દ્વારા આ કામગીરીને આવકારવામાં આવી છે સાથોસાથ મંત્રી બ્રિજેશ મેરજાની પ્રસંશા કરતાં આભાર વ્યકત કરવામાં આવ્યો હતો તાજેતરમાં વવાણીયા-વર્ષામેડી રોડનું ખાતમુહૂત કરેલ છે તે રોડ પર વચ્ચે આવતાં કોઝવેની જગ્યાએ મેજર બ્રીજ મંજુર કરવામાં આવતાં આ રોડ પર આવતાં બગસરાચમનપરવવાણીયાલક્ષ્મીવાસના વાહન ચાલકોને નવલખી બંદરે આવવા-જવામાં ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.

 






Latest News