ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વર્ષામેડી પાસે કોઝવેની જગ્યાએ ૩ કરોડના ખર્ચે પુલ બનશે


SHARE











માળીયા(મી)ના વર્ષામેડી પાસે કોઝવેની જગ્યાએ ૩ કરોડના ખર્ચે પુલ બનશે 

માળીયા તાલુકાના વર્ષામેડી એપ્રોચ રોડ વચ્ચે આવતાં અને ડુબમાં જતાં કોઝવેની જગ્યાએ લોકોની સુખકારીને ધ્યાનમાં રાખીને ૩ કરોડના ખર્ચે કોઝવેની જગ્યાએ પુલની કામગીરી અહીના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ મંજુર કરવી છે જેથી કરીને લોકોની સુખકારીમાં વધારો થશે. 

રાજ્યના પંચાયતશ્રમ અનેરોજગાર (સ્વતંત્ર હવાલો)ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અને માળીયા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા માળીયા તાલુકાના વર્ષામેડી એપ્રોચ રોડ વચ્ચે આવતાં અને ડુબમાં જતાં કોઝવેની જગ્યાએ ૩ કરોડના ખર્ચે મેજર બ્રીજ બનાવવાની કામગીરી મંજુર કરાવવામાં આવેલ છે. આ પુલની કામગીરી થતાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો તથા પદાધિકારીઓ દ્વારા આ કામગીરીને આવકારવામાં આવી છે સાથોસાથ મંત્રી બ્રિજેશ મેરજાની પ્રસંશા કરતાં આભાર વ્યકત કરવામાં આવ્યો હતો તાજેતરમાં વવાણીયા-વર્ષામેડી રોડનું ખાતમુહૂત કરેલ છે તે રોડ પર વચ્ચે આવતાં કોઝવેની જગ્યાએ મેજર બ્રીજ મંજુર કરવામાં આવતાં આ રોડ પર આવતાં બગસરાચમનપરવવાણીયાલક્ષ્મીવાસના વાહન ચાલકોને નવલખી બંદરે આવવા-જવામાં ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.

 






Latest News