ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી: સરસ્વતી ભગવતી વિદ્યાલય તથા દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 માં 100 ટકા પરિણામ


SHARE







મોરબી: સરસ્વતી ભગવતી વિદ્યાલય તથા દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 માં 100 ટકા પરિણામ

મોરબીના બરવાળા ગામે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 ની પરીક્ષામાં 100 ટકા પરિણામ આવ્યું છે

મોરબીના બરવાળા ગામે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલયે ધો. 12 ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ મેળવ્યું છે આ શાળામાં 42 વિદ્યાર્થીઓ ભણતા હતા જે તમામ પાસ થઈ ગયેલ છે. જેથી કરીને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ શાળાની સ્વ. જેરાજભાઈ કરમશીભાઈ પટેલ દ્વારા 55 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના હાલના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ છે તેઓએ અને અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યોએ દરેક સફળ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

મોરબીમાં આવેલ દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 નું પરિણામ 100 ટકા આવ્યું છે અને શાળાના કુલ 62 વિધાર્થીઓમાંથી 22 વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવેલ છે આમ "સરકારી શાળાઓ શ્રેષ્ઠ શાળાઓ" છે તે સૂત્રને અહીના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાર્થક કરી દીધેલ છે. જેથી શાળાના તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફને શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ અભિનંદન આપેલ છે અને વધુમાં કહ્યું છે કે, વર્ષ દરમિયાન સ્ટાફની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની નિરંતર વાંચન અને પેપર લખવાની પ્રેક્ટિસથી આ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે.






Latest News