મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી: સરસ્વતી ભગવતી વિદ્યાલય તથા દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 માં 100 ટકા પરિણામ


SHARE











મોરબી: સરસ્વતી ભગવતી વિદ્યાલય તથા દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 માં 100 ટકા પરિણામ

મોરબીના બરવાળા ગામે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 ની પરીક્ષામાં 100 ટકા પરિણામ આવ્યું છે

મોરબીના બરવાળા ગામે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલયે ધો. 12 ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ મેળવ્યું છે આ શાળામાં 42 વિદ્યાર્થીઓ ભણતા હતા જે તમામ પાસ થઈ ગયેલ છે. જેથી કરીને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ શાળાની સ્વ. જેરાજભાઈ કરમશીભાઈ પટેલ દ્વારા 55 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના હાલના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ છે તેઓએ અને અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યોએ દરેક સફળ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

મોરબીમાં આવેલ દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 નું પરિણામ 100 ટકા આવ્યું છે અને શાળાના કુલ 62 વિધાર્થીઓમાંથી 22 વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવેલ છે આમ "સરકારી શાળાઓ શ્રેષ્ઠ શાળાઓ" છે તે સૂત્રને અહીના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાર્થક કરી દીધેલ છે. જેથી શાળાના તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફને શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ અભિનંદન આપેલ છે અને વધુમાં કહ્યું છે કે, વર્ષ દરમિયાન સ્ટાફની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની નિરંતર વાંચન અને પેપર લખવાની પ્રેક્ટિસથી આ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે.






Latest News