ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ચોમાસા પહેલા સાફ કરવા સામાજીક કાર્યકરોની રજૂઆત


SHARE







મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ચોમાસા પહેલા સાફ કરવા સામાજીક કાર્યકરોની રજૂઆત

મોરબીના લોકોને ઊભરાતી ગટરની પીડામાંથી મુક્તિ આપવામાં આવે અને ચોમાસા પહેલા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા, નદી, નાલા અને ગટરો સાફ કરવામાં આવે તેવી મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઈ છબીલભાઈ કોટેચાએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે મોરબીમાં વરસાદી પાણી ભરાઈ નહીં અને લોકોને હેરાન ન થવું પડે તે માટે ચોમાસા પહેલા જ તંત્ર  દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા, નદી, નાલા અને ગટરો સાફ કરવામાં આવે તે જરૂરી છે અને કેટલીક જગ્યાએ ખુલ્લી ગટર હોય તો તેને બંધ કરવામાં આવે અને વોંકળા ઉપર કરવામાં આવેલ દબાણ દુર કરવામાં આવે તે જરૂરી છે મોરબી શહેરમાં વર્ષોથી ઉભરાતી ગટરની સમસ્યા છે જેનુ નીરાકરણ આજ સુધી આવ્યું નથી આજની તારીખે પણ મોરબીના રવાપર રોડ, શનાળા રોડ, વાવડી રોડ સહિતના વિસ્તારોમાં અન્ડર ગ્રાઉન્ડ ગટર ઉભરાતી હોય છે જેથી લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. અને મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ તેવી શક્યતા છે. ત્યારે મોરબીના લોકો કરોડો રૂપિયાનો ટેક્ષ ભરે છે તેની સામે તેઓને ચોમાસામાં હેરાન થવું ન પડે અને ઉભરાતી ગટરની પીડામાંથી મુક્તિ આપીને સારી સુવિધા આપવામાં આવે તેવી માંગ કરેલ છે. ઉલેખનીય છે કે, મોરબીમાં વર્ષો જૂના વરસાદી પાણીના નિકાલ માટે 11 જેટલા વોંકળા આવેલ છે અને તેના ઉપર મોટા પ્રમાણમાં દબાણ થયેલ છે. જે દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરેલ છે.






Latest News