મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના લાલબાગ સેવા સદનમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ !: આમ આદમી પાર્ટી


SHARE













મોરબીના લાલબાગ સેવા સદનમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ !: આમ આદમી પાર્ટી

મોરબી જિલ્લામાં આવેલ લાલબાગમાં સેવાસદનમાં દર મહિને લાખો કરોડો રૂપિયાનો વહીવટ અને નોંધણી થાય છે એ જ કચેરીમાં પાયાની જરૂરી સુવિધાઓ નથી જેવી કે ટોયલેટ, બાથરૂમની સુવ્યવસ્થા નથી અને આ ઉનાળા પીવાના પાણીની સુવિધા નથી. જ્યારે અધિકારીની કચેરીમાં મિનરલ વોટરના જગ આવે છે. તેવું આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ જણાવ્યુ છે.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, લાલબાગ સેવા સદન પૂરા પટાંગણમાં એકપણ સીસીટીવી કેમેરા ની સુવિધા નથી. આવારા, લૂખા, ગુંડા તત્વો દ્વારા કોઈ જાતની ચોરી, સરકારી રેકોર્ડ કે જાહેર મિલકત ને નુકશાન કરશે છે તો એનો જવાબદાર કોણ ? જ્યારે કોઈ અજાણ કે અભણ માણસ આ કચેરીમાં જાય ત્યારે ને દરેક ઓફિસના દરવાજા બંધ જોવા મળે છે. જેથી કોઈને ખબર ન પડે અંદર કોઈ છે કે નહીં તો આ અધિકારીઓને શું વાંધો હશે દરવાજો ખુલ્લો હોય તો..? આ કચેરી માં કોઈ પણ જાત ની માહિતી નોટિસ બોર્ડ નથી કે ક્યાં રૂમ માં કઈ કામગીરી થઈ છે. તો દરેક ફ્લોર પર, રૂમ નંબર સાથે, એ રૂમ માં થતી કામગીરીની વિગત લખી ને બોર્ડ લાગવા.જેથી અરજદાર ને પડતી મુશ્કેલી ઓછી થઈ શકે તેમ છે. આટલું જ નહીં અરજદારને બેસવા માટે બેસવા માટે બાંકડા નથી. બંધ પડેલ હાલતમાં સરકારી ગાડીઓ પડી છે. આજ કચેરીઓમાં કેટલાય રૂમમાં બારીઓ પણ તૂટી ગયેલી છે. કંપાઉન્ડ ની અંદર બાવળનું સામ્રાજ્ય ઊભા છે. જેથી આ તમામ બાબતોને ધ્યાને લઈને કામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News