હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા 10 હોસ્પિટલ-1 મોલના સ્ટાફને ફાયરની ટ્રેનીંગ આપવામાં આવી


SHARE











મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા 10 હોસ્પિટલ-1 મોલના સ્ટાફને ફાયરની ટ્રેનીંગ આપવામાં આવી

મોરબી મહાપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં આવેલ હોસ્પિટલ પૈકી 10 હોસ્પિટલ, 1 કમર્શિયલ મોલના કુલ મળીને 120 થી વધુ કર્મચારીને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ હતી વધુમાં ફાયર પ્રિવેનાનના ભાગ રૂપે શાળાઓનું અને હોટેલમાં કાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા શાળા અને હોટેલને નોટીસ આપવામાં આવી હતી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી વધુમાં મોરબી જીલ્લામાં પાંચ જુદી જુદી જગ્યાએ આગનાં બનાવ અને એક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

મોરબીમાં ફાયર વિભાગની સતર્કતા તપાસવા માટે મોરબીમાં સામાકાંઠે આવેલ ડી માટે-મોલ ખાતે ફાયર વિભાગ અને ડી માર્ટના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦:૩૮ કલાકે આગ લાગવાની જાણ થતા ૧૦ મિનીટની અંદર ફાયરની ટીમ ઘટના સ્થળ પર હાજર થયા બાદ ફાયર ટીમ દ્વારા પાર્કિંગમાં લાગેલ આગને કાબુમાં લીધેલ હતી અને ત્યારબાદ આ ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘણી જગ્યાએ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનું આયોજન કરવામાં આવે  છે તેનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાપાલિકામાં આવેલ હોસ્પિટલ, સ્કુલ, હોટેલમાં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય તેની સમજ આપવાનો હોય છે






Latest News