મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

માળીયા(મી)ના હરિપર પાસે વાહનમાં ટાયર બદલતા યુવાનને ટ્રેલર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ યુવાનનું મોત 


SHARE











માળીયા(મી)ના હરિપર પાસે વાહનમાં ટાયર બદલતા યુવાનને ટ્રેલર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ યુવાનનું મોત 

માળીયા કંડલા હાઈવે ઉપર હરીપર ગામના પાટિયા પાસે યુવાન ટ્રેલરમાં ટાયર બનાવવાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ બીજા ટ્રેલરના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને યુવાન ચગદાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે હાલમાં ફરિયાદ લઈને અકસ્માત સર્જી ઘટના સ્થળ ઉપર પોતાનું વાહન છોડીને નાસી ગયેલા ટ્રેલર ચાલકની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં ગાંધીધામના ગળપાદર ગામે રહેતા રજનીકુમાર જગતનારાયણ તિવારી જાતે બ્રાહ્મણ (૩૩)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેલર નંબર જીજે ૧૨ વાય ૬૧૧૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ગઈકાલે માળીયા કંડલા હાઇવે ઉપર હરીપર ગામના પાટિયા પાસે હતા અને ત્યારે તેઓનો ટ્રકટ્રેલરને રોડની સાઈડમાં પાર્ક કરીને ટ્રેલરનંબર જીજે ૧૨ વાય ૭૫૧૧ માં દિનેશભાઈ પારસનાથ પાંડે (ઉંમર ૩૩) ટાયર બનાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ ટ્રેલરના ચાલકે પોતાના વાહનની અડફેટે દિનેશભાઈને લીધા હતા જેથી કરીને ટ્રેલરના પાછળના જોટામાં આવી જવાના કારણે પેટની નીચેના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી અને શરીર ચગદાઈ જવાથી દિનેશભાઈનું મોત નીપજ્યું હતું આ અકસ્માત બાદ ટ્રેલર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં રજનીકુમારની ફરિયાદ લઈને પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.






Latest News