મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ભારે કરી: પ્રેમસબંધની પત્નીને જાણ થઈ જતાં પરણિત યુવાને જીવનનો અંત આણ્યો


SHARE











ભારે કરી: પ્રેમસબંધની પત્નીને જાણ થઈ જતાં પરણિત યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનના લગ્ન થઈ ગયા હતા જોકે તેને તેના વતનની કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો અને તેની જાણ તે યુવાનની પત્નીને થઈ જતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તેણે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની હોસ્પિટલેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં માટેલ ગામ નજીક આવેલ સિંબોસા સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સુખરામ ગુડ્ડુભાઈ લોહાર (22) નામના યુવાને લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલેથી આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એ.આર. બેરાણી ચલાવી રહ્યા છે અને પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના લગ્ન થઈ ગયા હતા જોકે તેને પોતાના વતન બાજુની કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હોય જે અંગેની જાણ તેના પત્નીને થઈ ગઈ હતી જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે અંતિમ પગલું ભર્યું છે તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News