ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

માળિયા (મીં)ના ભાવપર ગામે ચક્કર આવતા મગફળીના મશીનમાં પડી જતા યુવાનનું મોત


SHARE







માળિયા (મીં)ના ભાવપર ગામે ચક્કર આવતા મગફળીના મશીનમાં પડી જતા યુવાનનું મોત

માળિયા તાલુકાના ભાવપર ગામે મગફળીના મશીન ઉપર યુવાન ઊભો હતો ત્યારે તેને ચક્કર આવતા તે મશીનમાં પડી ગયો હતો અને તેનું મૃત્યુ નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકાના ભાવપર ગામની સીમમાં મગફળીના મશીન ઉપર રાજુભાઈ માલાભાઈ મેડા જાતે આદિવાસી (ઉંમર ૧૮) ઉભો હતો ત્યારે તેને ચક્કર આવતા તે મશીનમાં પડી ગયો હતો અને મશીનમાં પડી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે.

ઊંઘની દવા પીધી

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શ્યામ પાર્ક સોસાયટીની અંદર રહેતા જય રમેશભાઇ ટેશિયાના પત્ની અંજલીબેન (૨૮) સગર્ભા હોય તેઓની દવા ચાલી રહી છે તે દરમિયાન તેઓ ભૂલથી ઊંઘની દવા પી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે તેઓના પતિ જય કટેશીયા રાજકોટની સિનરજી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પરિણીતાનો લગ્નગાળો પાંચ વર્ષનો હોવાનું હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.






Latest News