મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામ નજીક કારખાનાની અગાસી ઉપરથી નીચે પડતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના સાદુકા ગામ નજીક કારખાનાની અગાસી ઉપરથી નીચે પડતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના સાદુકા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં અગાસી ઉપરથી પડી જવાના કારણે યુવાનને ગંભીર જાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીથી અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના મોટાભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાદુકા ગામની સીમ આવેલ કિયા સીરામીક નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા જીતેલ કિશનભાઇ ડંડીયા (28) નામનો યુવાન ગત તા. 4/4/25 ના રોજ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં અગાસી ઉપરથી નીચે પડી જતા તેને ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાર બાદ તેને વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના ભાઈ સુજીત કિશન ડંડીયા (30) રહે. કિયા સીરામીક સાદુકા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

યુવાનનું મોત

મોરબીના વીસીપરામાં આવેલ રણછોડનગર વિસ્તારમાં શાંતિવન સ્કૂલની બાજુમાં રહેતા કૈલાશભાઈ લક્ષ્મણભાઈ મંદરીયા (35) નામનો યુવાન કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ ઈંટોના ભઠ્ઠા પાસેથી મળી આવેલ હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News