મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડીએ બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા માતા-પિતાની નજર સામે માસૂમ દીકરીનું મોત


SHARE











મોરબીની માળિયા ફાટક ચોકડીએ બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા માતા-પિતાની નજર સામે માસૂમ દીકરીનું મોત

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી દંપતી તેની દીકરી સાથે બાઈક ઉપર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેઓના બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં દંપતીને ઈજા થઈ હતી અને તેની બાળકીને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં વેજીટેબલ રોડ પાસે આવેલ ભીમસર વિસ્તારમાં રહેતા પીન્ટુભાઇ ચનાભાઈ પરમાર (30) તેના પત્ની અસ્મિતાબેન પીન્ટુભાઇ પરમાર (29) અને તેની દીકરી આયુષી પીન્ટુભાઇ પરમાર (8) ગઈ કાલે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને ડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં પીન્ટુભાઇની આઠ વર્ષની દીકરી આયુષીને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને પીન્ટુભાઇ પરમાર તથા તેના પત્નીને ઇજાઓ થયેલ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક બાળકીના પરિવારજનની ફરિયાદ લેવા માટે તેને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

મહિલા સારવારમાં

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા રીનાબેન રમેશભાઈ ચૌહાણ (30) નામની મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબી નજીક આવેલ હિલટોપ સીરામીક કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં રાહુલ મુકેશભાઈ દેગામા (21), મિતુલ મનસુખભાઈ જારીયા (25) અને કુલદીપ જયસુખ ભોરણીયા (25) નામના ત્રણ યુવાનોને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News