મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડીએ બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા માતા-પિતાની નજર સામે માસૂમ દીકરીનું મોત


SHARE







મોરબીની માળિયા ફાટક ચોકડીએ બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા માતા-પિતાની નજર સામે માસૂમ દીકરીનું મોત

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી દંપતી તેની દીકરી સાથે બાઈક ઉપર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેઓના બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં દંપતીને ઈજા થઈ હતી અને તેની બાળકીને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં વેજીટેબલ રોડ પાસે આવેલ ભીમસર વિસ્તારમાં રહેતા પીન્ટુભાઇ ચનાભાઈ પરમાર (30) તેના પત્ની અસ્મિતાબેન પીન્ટુભાઇ પરમાર (29) અને તેની દીકરી આયુષી પીન્ટુભાઇ પરમાર (8) ગઈ કાલે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને ડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં પીન્ટુભાઇની આઠ વર્ષની દીકરી આયુષીને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને પીન્ટુભાઇ પરમાર તથા તેના પત્નીને ઇજાઓ થયેલ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક બાળકીના પરિવારજનની ફરિયાદ લેવા માટે તેને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

મહિલા સારવારમાં

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા રીનાબેન રમેશભાઈ ચૌહાણ (30) નામની મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબી નજીક આવેલ હિલટોપ સીરામીક કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં રાહુલ મુકેશભાઈ દેગામા (21), મિતુલ મનસુખભાઈ જારીયા (25) અને કુલદીપ જયસુખ ભોરણીયા (25) નામના ત્રણ યુવાનોને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News