મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના રામપર ગામે રામજી મંદિરમાંથી ભગવાનના ૪૫ હજારની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી


SHARE











મોરબીના રામપર ગામે રામજી મંદિરમાંથી ભગવાનના ૪૫ હજારની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી

મોરબી તાલુકાના રામપર (પાડાબેકર) ગામે રામજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં તસ્કરો ભગવાન શ્રીરામ અને સીતા માતાની મૂર્તિ ઉપર ચડાવવામાં આવેલા ચાંદીના કુંડળ કેજે અંદાજે એકાદ કિલોના અને તેની કિંમત રૂપિયા ૪૫ હજાર થતી હોય તે ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના રામપર (પાડાબેકર) ગામે રામજી મંદિરમાં ચોરી થયેલ છે.ચોરી સંદર્ભે નહેરગિરી જખુગીરી ગોસ્વામી જાતે બાવાજી (૬૮) રહે.રામપર પાડાબેકર તા.મોરબી એ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ગત તા.૧૬-૧૧ ના સવારના પાંચેક વાગ્યાના સમય દરમિયાનમાં ઉપરોકત ચોરી થઈ હતી અને રામજી મંદિરમાં શ્રીરામ ભગવાન તથા સિતામાતાના કાનમાં પહેરાવેલ ચાંદીના કુંડળની બે જોડી કેજે ચાંદીનાં છે તેનું એકાદ કિલો વજન હોય અને તેની રૂપિયા ૪૫ હજારની કિંમત હોય તે ચાંદીના કુંડળોની કોઈ ઇશમ ચોરી કરી ગયેલ છે અને તપાસ કરવા છતાં ઇશમ મળી આવેલ ન હોવાથી બનાવના ત્રણ દિવસ બાદ ગઈકાલ તા.૨૯-૧૧ ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.જી.જેઠવાએ મંદિર ચોરી (સિમ ચોરી) ની ફરિયાદ લઈને મંદિર ચોરીમાં અગાઉ સંડોવાયેલા ઇશમોને ચેક કરવા તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના ઘનશ્યામપુર ગામે જગદીશભાઇ લાલજીભાઈ રાઠોડ નામના ૭૭ વર્ષીય આધેડે વાડીએ જતા હતા દરમિયાનમાં તેમનું બાઇક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા જગદીશભાઈને સારવારમાં મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા.તેમજ ટંકારા તાલુકાના લજાઇ ગામે થયેલ મારામારીના બનાવમાં મોહસીન રસુલભાઇ મોવર નામના ૨૨ વર્ષીય યુવાનને ઇજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

 






Latest News