તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની શ્રી હિરાપર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ


SHARE











ટંકારા તાલુકાની શ્રી હિરાપર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

વિજ્ઞાનમાં પ્રથમ નોવેલ પારિતોષિક મેળવનાર ભારતના મહાન વૈજ્ઞાનિક ડોકટર સી.વી. રામનની યાદમાં દર ૨૮ મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.બાળકોમાં નાનપણથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એટલા માટે ટંકારા તાલુકાની શ્રી હિરાપર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી અવનવા વૈજ્ઞાનિક પ્રયોગો સાથે કરવામાં આવી હતી.

જેમાં બાળકોની તર્કશક્તિ અને કલ્પના શક્તિ વિકસે તેમજ દરેક ઘટના પાછળનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જાણે તે માટે ધોરણ છ થી આઠ ના બાળકો દ્વારા તેમના માર્ગદર્શક શિક્ષક શ્રી કિંજલબેન વડસોલાના માર્ગદર્શન નીચે અવનવા પ્રયોગો રજૂ કર્યા હતા.જેને શાળાના તમામ બાળકોએ નિહાળ્યા હતા.આ વિજ્ઞાન પ્રદર્શન બાદ શાળાના આચાર્ય શ્રી બેચરભાઈ ગોધાણી દ્વારા એક ઓનલાઈન વિજ્ઞાન ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં તમામ સ્ટાફ અને બાળકોએ જહેમત ઉઠાવી હતી.

મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે  નેચરલ વસ્તુઓનું વેચાણ

મોરબી માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ ન્યુ હાઉસિંગ બોર્ડની સામે તા.2/3 ને રવિવારે સવારે 8 થી બપોરના 12 વાગ્યાં સુધી વેંચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે ,ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી વગેરે તેમજ ઓર્ગેનિક શાકભાજી મળશે. તેવું વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરની યાદી જણાવે છે. 






Latest News