મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: છ શખ્સ પકડાયા 


SHARE











મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: છ શખ્સ પકડાયા 

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને છ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડ રકમ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 2 ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ત્રાજપર નજીક ઓરીયન્ટલ બેન્ક વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા સુનિલ ગોરધનભાઈ સુરેલા (22), પીન્ટુભાઇ નારણભાઈ સનુરા (22) અને મહેશભાઈ વીરજીભાઈ પીપળીયા (50) રહે. બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે ત્રાજપરમાં આવેલ અવેડા વાળી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કિશન સવજીભાઈ કુંવરિયા (22), રામજીભાઈ સવસીભાઈ સનુરા (20) અને કિશોરભાઈ લાભુભાઈ પાટડીયા (26) રહે બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 4200 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારના જુદા જુદા બે ગુના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ કેશુભાઈ ધંધુકિયા (40) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર મારામારીનો બનાવ બનેલ હતો જે બનાવમાં ગોપાલ કાનાભાઈ વાઘેલા (21) રહે. રામેશ્વર કારખાનું લીલાપર રોડ તથા હિતેશ પ્રવીણભાઈ વાઘાણી (22) રહે. ગોપાલ કારખાનામાં લીલાપર રોડ મોરબી વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી






Latest News