મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડનું સારવારમાં મોત


SHARE











વાંકાનેર નજીક કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડનું સારવારમાં મોત

વાંકાનેર નજીક આવેલ કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જોકે અમદાવાદ ખાતે સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની અમદાવાદ પોલીસ દ્વારા વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ બ્લીજાડ કારખાનાની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા કરણસિંહ ધનાભાઈ ડામોર (ઉંમર ૫૦) મૂળ રહે શોભાપુરા એમપી વાળા કારખાનામાં પહેલા માળા ઉપરથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી પ્રથમ વાંકાનેરમાં અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેઓનું તા ૫/૧૧ ના રોજ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની અમદાવાદ પોલીસ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News