કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર ગામે મનદુખનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના લુણસર ગામે મનદુખનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના લુણાસર ગામે રહેતા યુવાન સાથે અગાઉ થયેલા મનદુખનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તેને લાકડી અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને તેના હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના લૂણસર ગામે રહેતા નિતેશભાઇ તખુભાઈ કડીવાર (ઉંમર ૩૦) હાલમાં મહેશભાઈ દલસુખભાઈ કડીવાર, પ્રકાશભાઈ દલસુખભાઈ કડીવાર અને વિપુલભાઇ દલસુખભાઈ કડીવાર રહે.ત્રણેય લૂણસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓની સાથે અગાઉ થયેલ મનદુખનો ખાર રાખીને આરોપીઓએ તેને પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને તેઓને હાથમાં ફ્રેકચર અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે આવ્યા હતા અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં સારવાર લીધા બાદ નીતેષભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News