વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો


SHARE











મોરબીમાં શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો

સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્દગુરુ શ્રી ધ્યાનિ સ્વામિજીની દિવ્ય પ્રેરણાથી સોમવારના રોજ સવારે મોરબીમાં નવા બસ સ્ટેન્ડ  સામે શ્રીજી પેલેસ મનસુખભાઇ પટેલના નિવાસ સ્થાને ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું અને ભગવાન સ્વામિનારાયણે આજથી 204 વર્ષ પૂર્વે એટલે કે સંવત 1877 માં લોયા ના દરબાર શ્રી સુરા ખાચરના પ્રેમને વશ થઈ અને ૨-૨ માસ સુધી સ્વયં શાકનો વઘાર કરીને સર્વે સંતો-ભક્તોને જમાડેલ તો દિવ્ય લીલાને અનુસંધાને દર વર્ષે  સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ શાકોત્સવમા સ્વામિનારાયણ મુળ સંપ્રદાયના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભાથી સદ્દગુરુ સાહિત્યાચાર્ય  સત્સંગભૂષણદાસજી સ્વામિજી સંત મંડળ સાથે આવ્યા હતા અને પોતાના વરદ હસ્તે શાકનો દિવ્ય વઘાર કરીને દિવ્ય દર્શન, આશિર્વચન  અને મહાપ્રસાદનો લાભ આપેલ હતો તારે મોરબી  તેમજ આજુ બાજુના  ગામના સર્વે સત્સંગીજનો ધર્મપ્રેમીજનો સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News