મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો


SHARE











મોરબીમાં શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો

સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્દગુરુ શ્રી ધ્યાનિ સ્વામિજીની દિવ્ય પ્રેરણાથી સોમવારના રોજ સવારે મોરબીમાં નવા બસ સ્ટેન્ડ  સામે શ્રીજી પેલેસ મનસુખભાઇ પટેલના નિવાસ સ્થાને ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું અને ભગવાન સ્વામિનારાયણે આજથી 204 વર્ષ પૂર્વે એટલે કે સંવત 1877 માં લોયા ના દરબાર શ્રી સુરા ખાચરના પ્રેમને વશ થઈ અને ૨-૨ માસ સુધી સ્વયં શાકનો વઘાર કરીને સર્વે સંતો-ભક્તોને જમાડેલ તો દિવ્ય લીલાને અનુસંધાને દર વર્ષે  સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ શાકોત્સવમા સ્વામિનારાયણ મુળ સંપ્રદાયના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભાથી સદ્દગુરુ સાહિત્યાચાર્ય  સત્સંગભૂષણદાસજી સ્વામિજી સંત મંડળ સાથે આવ્યા હતા અને પોતાના વરદ હસ્તે શાકનો દિવ્ય વઘાર કરીને દિવ્ય દર્શન, આશિર્વચન  અને મહાપ્રસાદનો લાભ આપેલ હતો તારે મોરબી  તેમજ આજુ બાજુના  ગામના સર્વે સત્સંગીજનો ધર્મપ્રેમીજનો સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News