મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં બે શખ્સોને પાસા હેઠળ કરાયા જેલ હવાલે


SHARE











મોરબીમાં બે શખ્સોને પાસા હેઠળ કરાયા જેલ હવાલે

સમગ્ર મોરબી જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ થાય છે અને દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસ દ્વારા સમયાંતરે ધોંસ બોલાવવામાં આવે છે.તે દરમિયાન અગાઉ અનેક વખત દારૂ કેસમાં પકડાયેલા બે શખ્સો સામે પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવી હતી.જેને મંજૂરીની મહોર મારવામાં આવતા બંને ઈસમોને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે પીઆઇ એન.એ.વસાવા દ્વારા બે શખ્સો સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.જેને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવેલ છે.જેથી હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વસાવા દ્વારા દારૂમાં અનેક વખત પકડાયેલા અંકિત અરૂણભાઇ રાઠોડ (૩૩) રહે. શ્રદ્ધાપાર્ક શેરી નંબર-૪ નવલખી રોડ મોરબીને રાત્રિના ત્રણેક વાગ્યે પકડવામાં આવ્યો હતો અને તેને હાલ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.તે રીતે જ અનેક વખત દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા મયુર બટુકભાઈ વાઘેલા (૩૭) રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ સામેકાંઠે મોરબી-૨ ની વિરૂદ્ધ પણ પાસા દરખાસ્ત મંજુર થતા તેને પણ રાત્રિના ત્રણેક વાગ્યે પકડવામાં આવ્યો હતો અને હાલ તેને અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સ્ટાફ પાસેથી જાણવા મળેલ છે.આ કામગીરી પીઆઇ એન.એ.વસાવા તેમજ સ્ટાફના જગદીશભાઇ ડાંગર, જયપાલભાઇ લાવડીયા, પ્રદિપસિંહ ઝાલા, ભાવેશભાઇ ગઢવી, અજયસિંહ રાણા, વિપુલભાઇ ગગુભાઇ, રાજપાલસિંહ રામદેવસિંહ, સંજયભાઇ રાઠોડ, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ, મનોજભાઇ ગઢવી, પ્રિયંકાબેન પૈજા વિગેરેનાઓએ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળિયા હાઇવે જુના નાગડાવાસ ગામે કૃષ્ણ મંદિરની પાછળના ભાગે રહેતા મેરામભાઇ ભાનુભાઈ કુવાડીયા નામનો ૩૨ વર્ષનો યુવાન બાઈકમાં જતો હતો.ત્યારે રામપર ગામના પાટીયે નાયરાના પંપ નજીક તેના બાઈકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધું હતું. જેથી કરીને મેરામભાઇ કુવાડીયાને ઈજા થતા શહેરની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

રીક્ષા પલ્ટી જતા ઈજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા જીગ્નેશભાઈ ભીમાણી નામના ૨૫ વર્ષના યુવાનને ઇજા પામેલ હાલતમાં અત્રે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીની લીલાપર ચોકડી પાસે રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં જીગ્નેશભાઈ ભીમાણીને ઇજા થતા ૧૦૮ વડે તેઓને સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલા છે.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે






Latest News