મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં ઘરના તાળાં તોડીને કરવામાં આવેલ 1.44 લાખના દાગીનાની ચોરીના ગુનામાં એક પકડાયો, બેની શોધખોળ


SHARE











હળવદમાં ઘરના તાળાં તોડીને કરવામાં આવેલ 1.44 લાખના દાગીનાની ચોરીના ગુનામાં એક પકડાયો, બેની શોધખોળ

હળવદમાં આવેલ આનંદ પાર્ક સોસાયટીમાં યુવાનના મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી સોનાના તથા ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા પરિવારની 1,44,000 ના દાગીનાની ચોરી થયેલ હોવાની ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને બે આરોપીને પકડવાના બાકી છે.

હળવદમાં આવેલ આનંદ પાર્કમાં રહેતા ઘનશ્યામભાઈ જીવણભાઈ ગઢવી (41)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 14/10 ના સવારના ચારેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમના રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના ઘરની અંદર પ્રવેશ કરીને કબાટમાં રાખવામાં આવેલ સોનાનું ત્રણ તોલાનું મંગળસૂત્ર, સોનાનો ત્રણ તોલાનો ગળામાં પહેરવાનો હાર અને બુટ્ટી, સોનાની પાંચ ગ્રામની આંગળીમાં પહેરવાની ત્રણ વીટી, હાથમાં પહેરવાના સોનાની ચીપના એક જોડી પાટલા, સોનાની ચીપ વાળી ચાર ચૂડલી અને ચાંદીના સાંકડા આમ કુલ મળીને 1,44,000 નો મુદામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને હળવદ પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં હાલમાં જામનગરની ગેંગને પકડવામાં આવેલ છે અને હળવદના પીઆઈ આર.ટી વ્યાસ તથા તેની ટીમે આરોપી સોનુસિંહ ઉર્ફે  શેરસિંહ રણજીતસિંહ ખીરચી લુહાર જાતે ચીખલીગર રહે. યોગેશ્વરધામ ઢીંચડા રોડ ખોડીયાર કોલોની જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં શેરસિંહ રણજીતસિંહ ખીરચી રહે. જામનગર અને જસબીરસિંગ ઉર્ફે રવીસિંગ રહે. ભરૂચ વાળાના નામ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News