મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે નર્મદાની કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











હળવદના ટીકર પાસે નર્મદાની કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના ટીકર ગામથી મયુરનગરના રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર પડી જવાને કારણે યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પરિવારજને હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ કોળી વાસમાં રહેતો સંજય ઉર્ફે વિપુલ બાબુભાઈ વલીયાણી (22) નામનો યુવાન કોઈપણ કારણોસર ટીકર ગામથી મયુરનગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કરીને કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાના કારણે સંજયનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ચંદુભાઈ અમરશીભાઈ વલિયાણી (46) રહે. ટીકર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા લાખાભાઈ ચૌહાણ (61) નામના વૃદ્ધને ગામમાં કિશન હાર્ડવેર પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના પાનેલી ગામે રહેતા અરજણભાઈ જીવણભાઈ ચાવડા નામના વ્યક્તિ જોધપર નદી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News