મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાના 9 ગામના તળાવો 2.39 કરોડના ખર્ચે કરાશે લિન્ક: ખેતી-પશુપાલનને થશે મોટો ફાયદો


SHARE











માળીયા (મી) તાલુકાના 9 ગામના તળાવો 2.39 કરોડના ખર્ચે કરાશે લિન્ક: ખેતી-પશુપાલનને થશે મોટો ફાયદો

માળીયા તાલુકામાં 2.39 કરોડના ખર્ચે વિવિધ 9 ગામોના તળાવો લિન્ક કરવાના કામો મંજુર થયેલ છે જેથી કરીને આ ગામમાં સિંચાઈથી ખેતીને તથા પશુપાલન વ્યવસાયને ફાયદો થશે અને

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાસિંચાઈ વિહોણા માળિયા તાલુકાના ગામોને પાણી પુરુ પાડવાની સરકારમાં રજૂઆતો કરી હતી તેને ધ્યાને લઈને સરકારે કામ મંજૂર કરેલ છે જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાની મહેનત રંગ લાવી છે અને તેમની પાસેથી મળેલ માહિતી મુજબ માળિયા તાલુકામાં કુલ 2.30 કરોડના ખર્ચે જુદાજુદા વિકાસ કામો કરવામાં આવશે જેમાં જસાપર, નાની બરાર, જાજાસર અને દેવગઢના તળાવો લિંક કરવા 40.66 લાખ, ધરમનગર થી રાસંગપર તળાવને લીંક કરવા રૂપિયા 99.92 લાખ, નવાગામ થી ધરમનગર તળાવને લીંક કરવાનું કામ 70.51 લાખ તથા મહેન્દ્રગઢ અને સરવડ ગામના તળાવો લિંક કરવાના 18.95 લાખ મંજૂર કરવામાં આવેલ છે અને આ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. આ તળાવો લિંક થવાથી સિંચાઈનું પાણી મળવાથી ખેતીને તેમજ પશુપાલન વ્યવસાયને ફાયદો થશે જેથી કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આ નિર્ણય માટે સરકારનો આભર વ્યક્ત કરેલ છે અને તેઓની રજૂઆતનું હકારાત્મક પરિણામ આવવાથી 9 ગામના ખેડૂતો-પશુપાલકો સહિતના લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.






Latest News