મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે મકરસંક્રાંતિએ રાહતદારે ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે


SHARE











મોરબીના જલારામ મંદિરે મકરસંક્રાંતિએ રાહતદારે ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદીનુ આયોજન કરવામાં આવ્યું છે અને રાહતદારે બંને વસ્તુ આપવામાં આવશે. જલારામ મંદિર ખાતે શુધ્ધ ઘી ના અડદીયા, બદામપાક, ગુંદરપાક, મમરાના લાડું તથા વિવિધ પ્રકારની ચીકીનુ રાહતદરે વિતરણ અવિરત ચાલુ છે. 

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલમાંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવામા આવેલ છે. મોરબી જલારામ મંદિરના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામાં આવશે તેમજ ડ્રાઈફ્રુટ થી ભરપુર બાસુંદીનુ વિતરણ કરવામાં આવશે. અને ઉંધિયુ પ્રતિકીલો ૨૦૦ રૂપિયાના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો ૩૦૦ રૂપિયાના ભાવે ઉપલબ્ધ રહેશે. બંને વસ્તુઓ ૫૦૦ ગ્રામ પેકિંગમાં પણ ઉપલબ્ધ રહેશે. અને ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪ ને મંગળવાર મકરસંક્રાંતિના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ ખાતેથી આપવામાં આવશે. અને એડવાન્સ બુકિંગ માટે જલારામ પ્રાર્થના મંદિર ખાતે ભાવીનભાઈ ઘેલાણી તથા ચિરાગભાઈ રાચ્છનો સંપર્ક કરવા માટે યાદીમા જણાવ્યુ છે.






Latest News